SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર ૨૦૨ तह विय सच्चे दत्ते बंभे अपरिग्गहत्तणे चेव । कीरइ अज्झवसाणं जं तेण दु बज्झए पुण्णं ॥ २६४ ॥ એમ અસત્ય અદત્ત ને, મૈથુન પરિગ્રહ માંય; કરાય અધ્યવસાન તો, પાપ જરૂર બંધાય. ૨૬૩ તેમ જ સત્ય અચૌર્ય ને, બ્રહ્મ અપરિગ્રહ માંય; કરાય અધ્યવસાન તો, પુણ્ય જરૂર બંધાય. ૨૬૪ હિંસાના અધ્યવસાનની જેમ અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ સંબંધી જે અધ્યવસાન કરાય છે, તે સર્વ પાપબંધનાં કારણ છે; તથા અહિંસાના અધ્યવસાનની જેમ સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગ સંબંધી જે અધ્યવસાન કરાય છે તે સર્વ પુણ્યબંધનાં કારણ છે. બાહ્યવસ્તુ બંધનું બીજું કારણ છે એમ પણ નથી : वत्थं पडुच्च जं पुण अज्झवसाणं तु होइ जीवाणं । णय वत्थुदो दु बंधो अज्झवसाणेण बंधोत्थि ॥ २६५ ॥ વસ્તુ આશ્રિત જીવને, વર્તે અધ્યવસાન; અવશ્ય તેથી બંધ છે, વસ્તુથી બંધ ન માન. ૨૬૫ અધ્યવસાન જ બંધહેતુ છે, બાહ્યવસ્તુ બંધહેતુ નથી. કારણ કે બાહ્યવસ્તુને બંધહેતુ-અધ્યવસાનના હેતુપણે જ સાર્થકપણું છે. પ્રશ્ન :- જો અધ્યવસાન જ બંધનું કારણ છે અને બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી, તો પછી વ્રતોમાં બાહ્યવસ્તુઓનો ત્યાગ કરવાનું પ્રયોજન શું છે ? ઉત્તર ઃ- અધ્યવસાન ટાળવા માટે બાહ્યવસ્તુનો નિષેધ કરાય છે. બાહ્યવસ્તુના આધાર વગર અધ્યવસાનો થતાં નથી. જેમકે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy