________________
શ્રી સમયસાર
૨૦૨
तह विय सच्चे दत्ते बंभे अपरिग्गहत्तणे चेव । कीरइ अज्झवसाणं जं तेण दु बज्झए पुण्णं ॥ २६४ ॥ એમ અસત્ય અદત્ત ને, મૈથુન પરિગ્રહ માંય; કરાય અધ્યવસાન તો, પાપ જરૂર બંધાય. ૨૬૩ તેમ જ સત્ય અચૌર્ય ને, બ્રહ્મ અપરિગ્રહ માંય; કરાય અધ્યવસાન તો, પુણ્ય જરૂર બંધાય. ૨૬૪
હિંસાના અધ્યવસાનની જેમ અસત્ય, ચોરી, અબ્રહ્મચર્ય અને પરિગ્રહ સંબંધી જે અધ્યવસાન કરાય છે, તે સર્વ પાપબંધનાં કારણ છે; તથા અહિંસાના અધ્યવસાનની જેમ સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને પરિગ્રહત્યાગ સંબંધી જે અધ્યવસાન કરાય છે તે સર્વ પુણ્યબંધનાં કારણ છે.
બાહ્યવસ્તુ બંધનું બીજું કારણ છે એમ પણ નથી :
वत्थं पडुच्च जं पुण अज्झवसाणं तु होइ जीवाणं । णय वत्थुदो दु बंधो अज्झवसाणेण बंधोत्थि ॥ २६५ ॥ વસ્તુ આશ્રિત જીવને, વર્તે અધ્યવસાન; અવશ્ય તેથી બંધ છે, વસ્તુથી બંધ ન માન. ૨૬૫
અધ્યવસાન જ બંધહેતુ છે, બાહ્યવસ્તુ બંધહેતુ નથી. કારણ કે બાહ્યવસ્તુને બંધહેતુ-અધ્યવસાનના હેતુપણે જ સાર્થકપણું છે.
પ્રશ્ન :- જો અધ્યવસાન જ બંધનું કારણ છે અને બાહ્ય વસ્તુ બંધનું કારણ નથી, તો પછી વ્રતોમાં બાહ્યવસ્તુઓનો ત્યાગ કરવાનું પ્રયોજન શું છે ?
ઉત્તર ઃ- અધ્યવસાન ટાળવા માટે બાહ્યવસ્તુનો નિષેધ કરાય છે. બાહ્યવસ્તુના આધાર વગર અધ્યવસાનો થતાં નથી. જેમકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org