________________
૨૦૦
શ્રી સમયસાર
અર્થાત્ મિથ્યા જ છે.
અનુરુપ मिथ्यादृष्टेः स एवास्य बंधहेतुर्विपर्ययात् ।
य एवाध्यवसायोऽयमज्ञानात्माऽस्य दृश्यते ॥१७० ॥
જે આ અજ્ઞાનમય અધ્યવસાય મિથ્યાદ્રષ્ટિને અવશ્ય થતો. દેખાય છે તે સત્યથી વિપરીત મિથ્યા હોવાથી તેને અવશ્ય બંધનો હેતુ થાય છે.
(કલશ ૧૭૦) એ અજ્ઞાન અધ્યવસાનથી કર્મ બંધાય છે તે કહે છે - एसा दु जा मई दे दुक्खिदसुहिदे करेमि सत्तेति । । एसा दे मूढमई सुहासुहं बंधए कम्मं ॥२५९॥ જીવોને દુઃખી સુખી, હું કરું મતિ જેહ; કર્મ શુભાશુભ બાંધતી, મૂઢમતિ તુજ એહ. ૨૫૯
તેથી હું જીવોને દુઃખી-સુખી કરું છું એવી જે તારી મતિ છે તે મૂઢમતિ-મિથ્યાત્વયુક્ત મતિજ્ઞાન અથવા અજ્ઞાન છે. અને તે મૂઢમતિ સ્વયં રાગાદિરૂપ હોવાથી શુભાશુભ કર્મબંધ કરાવે છે.
એક માત્ર અધ્યવસાનને જ બંધહેતુપણું નિયમથી છે :दुक्खिदसुहिदे सत्ते करेमि जं एवमझवसिदं ते । तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि ॥२६०॥ मारेमि जीवावेमि य सत्ते जं एवमझवसिदं ते । तं पावबंधगं वा पुण्णस्स व बंधगं होदि ॥२६१॥ દઉં જીવને સુખ દુઃખ એ, જે તુજ અધ્યવસાન; પાપપુણ્ય કર્મો તણાં, બંધક નિશ્ચય માન. ૨૬૦
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org