________________
૭. બંધ અધિકાર
૧૯૯
વસંતતિલકા अज्ञानमेतदधिगम्य परात्परस्य पश्यंति ये मरणजीवितदुःखसौख्यम् । कर्माण्यहंकृतिरसेन चिकीर्षवस्ते मिथ्यादृशो नियतमात्महनो भवंति ॥१६९ ॥ પૂર્વકથિત અજ્ઞાનને પ્રાપ્ત થઈને જેઓ અન્ય વડે અન્યના મરણ-જીવન, દુ:ખ-સુખને થતાં જુએ છે (માને છે), તેઓ કર્મમાં અહંકારરૂપ રસ સહિત કર્મ કરવાની ઇચ્છાવાળા મિથ્યાવૃષ્ટિ છે; અને તે નિયમથી પોતે પોતાને બંધન કરનારા આત્મઘાતી થાય છે.
(કલશ ૧૬૯) ઉપર્યુક્ત અધ્યવસાનો મિથ્યા છે તે કહે છે - जो मरइ जोय दुहिदो जायदि कम्मोदयेण सो सव्वो । । तह्मा दु मारिदो दे दुहाविदो चेदि ण हु मिच्छा ॥२५७॥ जो ण मरदि ण य दुहिदो
સોવિ જ ખોયે વેવ વસ્તુ तह्मा ण मारिदो णो दुहाविदो चेदि ण हु मिच्छा ॥२५८॥ મરતા કે દુઃખી કો થતા, કર્મ ઉદયથી સર્વ; મારું હું, દુઃખી હું કરું, એ શું ન મિથ્યા ગર્વ ? ૨૫૭ ના મરતા દુઃખી ના થતા, કર્મ ઉદયથી તેમ; હું ન હણું દુઃખી ના કરું, ગર્વ ન મિથ્યા કેમ ? ૨૫૮
જે મરે છે, મરતો નથી, દુઃખી થાય છે, સુખી થાય છે તે સર્વ કર્મના ઉદયથી થાય છે. કર્મના અભાવમાં તેમ થવું અશક્ય છે. છતાં એમ માનવું કે હું મારું છું, હું મરાઉં છું, હું દુ:ખી-સુખી કરું છું, હું દુઃખી-સુખી કરાવું છું, એ શું મિથ્યા અધ્યવસાન નથી ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org