________________
પૃષ્ઠ
૮૦
[૨૧] વિષય કર્મોદયના નિમિત્તે જીવના ભાવ થાય. (૮૩) પરંતુ એક દ્રવ્ય અન્ય રૂપે થતું નથી તેથી નિશ્ચયથી આત્મા સ્વપરિણામનો જ કર્તાભોક્તા છે. નિશ્ચયથી પરનું કર્તાભોક્તાપણું માનવું તે અજ્ઞાન છેઃ ગાથા (૮૪) વ્યવહારનયથી આત્મા કર્તાભોક્તા છે. (૮૫-૮૬) આત્મા સ્વભાવે કરે છે તે જ રીતે પુલકર્મને કરે છે એમ માને તે ક્રિક્રિયાવાદી મિથ્યાદ્રુષ્ટિ છે. ક્રિક્રિયાવાદીપણાનું વિશેષ વ્યાખ્યાન : ગાથા (૮૭-૮૮) મિથ્યાત્વ અવિરતિ કપાય યોગ અજ્ઞાન જીવરૂપ અને અજીવરૂપ એમ બે બે ભેદે છે. (૮૯-૯૧) કર્મના નિમિત્તે ઉપયોગ અશુદ્ધભાવે પરિણમે તેનો કર્તા આત્મા છે. તે નિમિત્તે કર્મ બંધાય છે તેનો કર્તા પુદ્ગલ છે. (૯૨-૯૩) પરને આત્મા અને આત્માને પર માને તે અજ્ઞાની કર્મનો કર્તા થાય. એમ ન માને તે જ્ઞાની અકર્તા છે. (૯૪-૯૫) એક ઉપયોગ મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રરૂપે પરિણમીને “હું ક્રોધાદિ છું' “હું ધર્માદિક છું' એમ માને : છે. (૯૬) એમ આત્માને પર અને પરને આત્મા માનતો અજ્ઞાનથી કર્તા થાય છે. (૬૭) પરંતુ પરને પર જાણનાર જ્ઞાની સર્વ પરકર્તાપણું છોડે છે. એ જ વાતને દૃષ્ટાંતથી સકારણ સિદ્ધ કરે છે ? ગાથા (૯૮) વ્યવહારી મનુષ્યોનું કથન-આત્મા ઘટપટ રથ કર્મ નોકર્મ આદિને કરે છે. (૯૯) જીવ પર દ્રવ્યને કરે તો તન્મય થાય. (૧૦૦) જ્ઞાની જ્ઞાનના કર્તા છે, અનિત્ય એવા યોગ અને ઉપયોગ માત્ર નિમિત્તપણે કર્તા છે. (૧૦૧) ગોરસ અધ્યક્ષનું દૃષ્ટાંત (૧૦૨) આત્મા તો પોતાના શુભાશુભ ભાવનો જ કર્તા અને ભોક્તા છે. (૧૦૩-૧૦૪) એક દ્રવ્ય અન્યના દ્રવ્યગુણરૂપે સંક્રમે નહિ તેથી આત્મા કર્મનો કર્તા નથી. (૧૦૫-૧૦૬) પરંતુ જીવભાવના નિમિત્તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org