SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ શ્રી સનવતાર एवं मिच्छादिट्ठी वढें तो बहु विहासु चिट्ठासु । रायाई उवओगो कुव्वंतो लिप्पइ रयेण ॥२४१॥ કો પુરુષ નિજ દેહને, મર્દા તેલ સુહામ; રેણુમય મેદાનમાં, કરે શસ્ત્ર-વ્યાયામ. ૨૩૭ છેદન ભેદન તે કરે, અનેકવિધ તજાત; દ્રવ્ય સચિત્ત અચિત્તનો, વળી કરે ઉપઘાત. ૨૩૮ વિવિધ કરણથી તેહને, કરતાં એ ઉપઘાત; ધૂલિબંધ કારણ કર્યું, નિશ્ચય ચિંતો ભ્રાત. ૨૩૯ સ્નેહભાવ છે પુરુષમાં, તેથી ધૂલીબંધ; નહીં કાયચેષ્ટાદિથી, નિશ્ચયથી ધૂલિબંધ. ૨૪૦ મિથ્યાવૃષ્ટિની એમ જો, બહુવિધ ચેષ્ટા થાય; રાગાદિ ભાવો કર્યો, કર્મરજે લેપાય. ૨૪૧ જેમ કોઈ પુરુષ શરીરે તેલ ચોપડીને ધૂળવાળી જગ્યામાં હથિયારો વડે વ્યાયામ કરે છે, તેમ જ અનેક પ્રકારનાં ઉપકરણોવડે વૃક્ષ કાષ્ઠ આદિ સચિત્ત અચિત્ત પદાર્થોને છેદવા ભેદવારૂપ ઉપઘાત કરે છે; તે શરીરે ધૂળથી લેપાય છે, તેનું કારણ તપાસતાં તેલનું ચોપડવું એ જ કારણ છે કેમકે તે જ પુરુષ શરીરે તેલ ચોપડ્યા વિના તે દરેક ક્રિયા કરે તો તે ધૂળથી લપાતો નથી. તેવી રીતે મિથ્યાદ્રષ્ટિ ઉપયોગમાં રાગાદિસહિત સર્વત્ર કર્મયોગ્ય વર્ગણાથી ભરપૂર એવા આ લોકમાં મનવચનકાયવડે અનેક ક્રિયા કરતો તેમજ અનેક પ્રકારનાં ઉપકરણો વડે સચિત્ત અચિત્ત વસ્તુઓનો ઉપઘાત કરતો કર્મરજથી બંધાય છે, તે બંધનું કારણ શું છે ? સ્વભાવથી કર્મવર્ગણાની બહુલતાવાળો લોક બંધનું કારણ નથી, કેમકે તેથી તો સિદ્ધોને પણ કર્મબંધનો પ્રસંગ આવે. મનવચનકાયાની ક્રિયા બંધનું કારણ નથી, કેમકે તેથી તો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy