________________
૧૯૦
શ્રી સમયસાર રોકતા અને સાથે નિર્જરાના વિશેષ વિકાસથી પૂર્વસંચિત કર્મને ક્ષય પમાડતા, સમ્યવૃષ્ટિ પોતે અત્યંત અનુભવરસપૂર્વક આદિ, મધ્ય ને અંત રહિત-ત્રિકાળ જે એક સરખા પ્રવાહવાળું ધારાવાહી જ્ઞાન છે, તે રૂ૫ થઈને આકાશ સમાન અરૂપી શુદ્ધસ્વરૂપના વિસ્તારવાળી નાટ્યશાળામાં પ્રવેશ કરીને નાચે છે. (ક્લશ ૧૬૨)
ઉપસંહાર :-સંવરપૂર્વક નિર્જરાનું જે ઉપર વ્યાખ્યાન કર્યું તે નિર્જરા શુદ્ધાત્મામાં સ્થિરતારૂપ નિશ્ચયરત્નત્રયવાળા સમ્યકૃષ્ટિ જીવને બાહ્ય શુભાશુભ દ્રવ્યના અવલંબન રહિત વીતરાગ ધર્મધ્યાન તથા શુક્લધ્યાનરૂપ નિર્વિકલ્પસમાધિમાં થાય છે. તે સમાધિ અત્યંત દુર્લભ છે. કારણકે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી, પર્યાપ્ત, મનુષ્યદેહ, ઉત્તમ દેશ, ઉત્તમ કુળ, સારું રૂ૫, ઇન્દ્રિયકુશળતા, નીરોગીપણું, લાંબું આયુષ્ય, ઉત્તમ બુદ્ધિ, સદ્ધર્મનું શ્રવણ, ગ્રહણ, ધારણ તથા શ્રદ્ધાન થવું, વિષયસુખથી નિવર્તન સંયમ ધારણ કરવો, ક્રોધાદિ કષાયોને રોકવા, તપ કરવું અને એ રીતે સમાધિ પ્રાપ્ત કરવી-એ સર્વ, કર્મની પ્રબળતાને લઈને ઉત્તરોત્તર એક એકથી 'વિશેષ વિશેષ દુર્લભ છે. આવી દુર્લભ પરંપરાને જાણીને તાત્પર્ય એ છે કે, સમાધિમાં પ્રમાદ ન કરવો જોઈએ. કહ્યું છે કે અત્યંત દુર્લભ એવી બોધિને પામીને જે જીવ સમાધિમાં પ્રમાદ કરે છે, તે બિચારો સંસારરૂપી ભયંકર વનમાં ઘણા કાળ સુધી ભ્રમણ કરે છે.
એમ શૃંગારરહિત પાત્રની સમાન શાંતરસરૂપે નિર્જરા રંગભૂમિપરથી નીકળી ગઈ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org