________________
૧૮૬
કોઈ ન વસ્તુધર્મમાં, કરે જુગુપ્સા જેહ; નિર્વિચિકિત્સક જાણવા, સમ્યગ્દષ્ટિ એહ. ૨૩૧
શ્રી સમયસાર
જેથી સમ્યગ્દષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવવાળા હોવાને લીધે સર્વ વસ્તુ અને તેના ધર્મમાં જાગુપ્સાના અભાવથી નિર્વિચિકિત્સક છે, તેથી તેમને વિચિકિત્સાથી કરાતો બંધ નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા અવશ્ય છે.
તાત્પર્ય કે જે પરમાત્મતત્ત્વભાવનાના બળથી સર્વ વસ્તુ અને તેના ધર્મમાં કે દુર્ગંધાદિ પરિણામમાં જુગુપ્સા નિંદા કરતા નથી, તે નિર્વિચિકિત્સક સમ્યગ્દષ્ટિ જાણવા. તેમને પરદ્રવ્યના દ્વેષથી કરાતો બંધ નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા અવશ્ય છે.
जो हवइ असम्मूढो चेदा सद्दिट्ठी सव्वभावेसु । सो खलु अमूढद्विट्ठी सम्मादिट्ठी मुणेयव्वो ॥ २३२ ॥ સત્કૃત્કૃષ્ટ સૌ ભાવમાં, મોહરહિત સદાય; અમૂઢદૃષ્ટિ જીવ તે, સમ્યગ્દષ્ટિ ગણાય. ૨૩૨
જેથી સમ્યગ્દષ્ટિ ખરેખર ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવવાળા હોવાને લીધે સર્વ ભાવોમાં મોહના અભાવથી અમૂઢદૃષ્ટિ છે, તેથી તેમને મૂઢદૃષ્ટિથી કરાતો બંધ નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ છે.
તાત્પર્ય કે જે આત્મા પોતાના શુદ્ધાત્મામાં શ્રદ્ધાન-જ્ઞાનઆચરણ કરવારૂપ નિશ્ચયરત્નત્રયની ભાવનાના બળથી શુભાશુભકર્મના પરિણામરૂપ બાહ્યવિષયમાં કે પરસમયમાં મૂઢતા રહિત છે, તે સમ્યગ્દષ્ટિ અમૂઢદૃષ્ટિ જાણવા. તેમને મૂઢતાથી કરાતો બંધ નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા અવશ્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org