SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર ૧૮૪ જ્યાં સુધી છે ત્યાં સુધી એટલે સદાકાળ એ રૂપે જ રહેવાનો છે, તેમાં અન્યનો ઉદય નથી - તે અન્યરૂપે થતો નથી. એ રીતે આત્મામાં આકસ્મિક કંઈ બનતું નથી તેથી જ્ઞાનીને આકસ્મિકભય ચાંથી હોય ? નિઃશંક એવા તે જ્ઞાની નિરંતર પોતે પોતાના સહજ જ્ઞાનસ્વભાવને સદા અનુભવે છે. (કલશ ૧૬૦) હવે આગળ સમ્યગ્દષ્ટિનાં આઠ લક્ષણો કહેવાશે તે સૂચવવા કલશ કહે છે : મંદાક્રાંતા टंकोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्व भाज: सम्यग्दृष्टेर्यदिह सकलं घ्नंति लक्ष्माणि कर्म तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणा नास्ति बंध: पूर्वोपात्तं तदनुभवतो निश्चितं निर्जरैव ॥ १६१ ॥ ટંકોત્કીર્ણ સ્વરસથી ભ૨પૂર જ્ઞાનસર્વસ્વના ભાજન અર્થાત્ કેવલજ્ઞાનને પાત્ર બનેલા સમ્યગ્દષ્ટિના નિઃશંકિત આદિ આઠ લક્ષણો છે, જેથી તે સકલ કર્મને હણે છે અને તેથી તેને સંસાર અવસ્થામાં પણ ફરી પાછો કર્મનો બંધ લેશમાત્ર થતો નથી. પૂર્વ કર્મના ઉદયને ભોગવતાં નક્કી જ્ઞાનીને નિર્જરા જ છે.(કલશ ૧૬૧) સમ્યગ્દષ્ટિને નિર્જરાનાં કારણ એવાં નિઃશંકિત આદિ આઠ લક્ષણોનું સ્વરૂપ હવે આઠ ગાથામાં દર્શાવે છે : जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे । सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेयव्वो ॥२२९॥ કર્મબંધકર મોહકર ચાર પાદ, હણનાર; સમકિતી નિઃશંક છે, જ્ઞાનગુણ ધરનાર. ૨૨૯ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy