SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. નિર્જરા અધિકાર ૧૮૩ જ્ઞાન છે તે આત્માનું સ્વરૂપ છે, તેને કોઈ અગુપ્તિ થતી નથી અર્થાત્ સ્વરૂપ સર્વથા ગુપ્ત જ છે તેથી જ્ઞાનીને અગુપ્તિભય કયાંથી હોય ? નિઃશંક એવા તે જ્ઞાની નિરંતર પોતે પોતાના સહજ જ્ઞાનસ્વભાવને સદા અનુભવે છે. (કલશ ૧૫૮) (૬) મરણભય વિષે કહે છે શાર્દૂલવિક્રીડિત प्राणोच्छेदमुदाहरति मरणं प्राणाः किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नो छिद्यते जातुचित् । तस्यातो मरणं न किंचन भवेत्तद्धीः कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥ १५९ ॥ પ્રાણોનો છેદ થવો તેને મરણ કહે છે. ખરેખર આત્માના પ્રાણ તો જ્ઞાન છે, તે સ્વયં શાશ્વત હોવાથી કદાપિ છેદાતા નથી. આથી આત્માને કંઈ મરણ થતું નથી. તો પછી જ્ઞાનીને મરણભય ક્યાંથી હોય ? નિઃશંક એવા તે જ્ઞાની નિરંતર પોતે પોતાના સહજ જ્ઞાનસ્વભાવને સદા અનુભવે છે. (કલશ ૧૫૯) (૭) અકસ્માત્ ભય વિષે કહે છે :-- શાર્દૂલવિક્રીડિત एकं ज्ञानमनाद्यनंतमचलं सिद्धं किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेशात्र द्वितीयोदयः । तन्नाकस्मिकमत्र किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥ १६० ॥ આ જ્ઞાનસ્વરૂપ આત્મા એક છે, અનાદિઅનંત અચળ છે અને ખરેખર તે સ્વતઃસિદ્ધ છે - પોતાથી જ પોતાને જાણે છે, અને For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy