SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ શ્રી સમયસાર અચળપણે અનુભવાય છે, તે સિવાય અન્યથી પ્રાપ્ત થતી વેદના વેદાતી નથી; એવા જ્ઞાનીને વેદનાભય ક્યાંથી હોય ? નિઃશંક એવા તે જ્ઞાની નિરંતર પોતે પોતાના સહજ જ્ઞાનસ્વભાવને સદા અનુભવે છે. (કલશ ૧૫૬) (૪) અરક્ષાભય વિષે કહે છે : શાર્દૂલવિક્રીડિત यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थिति - र्ज्ञानं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः । अस्यात्राणमतो न किंचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५७॥ જ્ઞાન છે તે પોતે જ સત્ છે. અને જે સત્ છે તે નિયમથી નાશ પામતું નથી એવી પ્રગટ વસ્તુસ્થિતિ છે. તેથી ખરેખર તેનું અન્યવડે શું રક્ષણ કરવું ? આત્માને અરક્ષિતપણું જરા પણ નથી. તેથી જ્ઞાનીને અરક્ષાભય ક્યાંથી હોય ? નિઃશંક એવા તે જ્ઞાની નિરંતર પોતે પોતાના સહજ જ્ઞાનસ્વભાવને સદા અનુભવે છે. (કલશ ૧૫૭) (૫) અગુપ્તિભય વિષે કહે છે - શાર્દૂલવિક્રીડિત स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यच्छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः । अस्यागुप्सिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शंकः सततं स्वयं स सहजं ज्ञानं सदा विंदति ॥१५८॥ જેથી સ્વરૂપમાં કોઈ પણ પરવસ્તુ પ્રવેશવાને સમર્થ નથી તેથી વસ્તુનું પોતાનું સ્વરૂપ છે તે જ ખરેખર પરમ ગુપ્તિ છે. સહજ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy