________________
૬. નિર્જરા અધિકાર
૧૭૯ નૃપતિને જો પુરુષ કો, સેવે વૃત્તિ-સુખાર્થ; નૃપતિ આપે તેહને, વિધવિધ ભોગ્ય પદાર્થ. ૨૨૪ સેવે જીવ જો કર્મરજ, લેવાને વિષયાર્થ; તેને આપે કર્મ તો, વિધવિધ ભોગ્ય પદાર્થ. ૨૨૫ રાજાને સેવે નહીં, જે નર વૃત્તિ-સુખાર્થ; રાજા પણ આપે નહીં, વિધવિધ ભોગ્ય પદાર્થ. ૨૨૬ તેમ કર્મરાજ સેવતા, જ્ઞાની નહિ વિષયાર્થ; તો નહિ કર્મ અપાવતાં, વિધવિધ ભોગ્ય પદાર્થ. ૨૨૭
જેમ કોઈ પુરુષ ફળ-પગાર વગેરે માટે રાજાની સેવા કરે છે તો રાજા તેને ફળ આપે છે, તેમ જીવ ફળ-પુણ્ય વગેરેની ઇચ્છાથી કર્મ કરે છે તો કમર તેને ફળ આપે છે. જેમ કોઈ પુરુષ ફળને અર્થે રાજાને સેવતો નથી તો રાજા તેને ફળ આપતો નથી, તેમ સમ્યગ્દષ્ટિ ફળને અર્થે કર્મ કરતા નથી તેથી કર્મ પણ તેમને ફળ આપતાં નથી.
શાર્દૂલવિક્રીડિત त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किंत्वस्यापि कुतोऽपि किंचिदपि तत्कर्मावशेनापतेत् । तस्मिन्नापतिते त्वकं पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः ॥१५३ ॥
જેણે ફળનો ત્યાગ કર્યો છે તે કર્મ કરતા નથી એમ અમે માનીએ છીએ, પરંતુ આ જ્ઞાનીને પણ ક્યાંકથી કંઈ પણ કર્મ પરવશપણે આવી પડે છે, તે આવી પડતા છતાં અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત એવા જ્ઞાની શું કર્મ કરે છે કે નથી કરતા એ કોણ જાણે છે ?!
(કલશ ૧૫૩)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org