________________
[૧૯]
વિષય
(૩૭) ધર્માસ્તિકાય આદિ મારાં નથી હું ઉપયોગ માત્ર છું. (૩૮) હું શુદ્ધ એક જ્ઞાનદર્શન ઉપયોગમય અરૂપી છું તે સિવાય પરપરમાણુમાત્ર પણ મારું નથી.
(અજીવ અધિકાર)
મિથ્યાવાદીઓના મત અને તેનો ઉત્તર ઃ
ગાથા (૩૯-૪૩) અધ્યવસાન, કર્મ, અનુભાગ, નોકર્મ, કર્મનો ઉદય, કર્મનો અનુભાગ, જીવકર્મનું મિશ્રણ અને આઠ કર્મનો સંયોગ એ આદિ જીવ છે, એમ જે પરને જીવ મનાવે છે તે અજ્ઞાનવાદી છે. (૪૪) એ બધા ભાવો પુદ્ગલ પરિણામથી બનેલા જિને કહ્યા છે તે જીવ કેમ થાય ?
હવે નવિભાગથી સમજાવે છે ઃ
ગાથા (૪૫) અધ્યવસાનાદિ કર્મજનિત ભાવો નિશ્ચયથી પુદ્ગલમય છે. (૪૬) વ્યવહારથી તે જીવના કહ્યા છે. શા માટે ? ઉત્તર- જો એમ ન કહે તો ત્રસસ્થાવર જીવોને ભસ્મની જેમ મસળી નાંખતાં પાપ નથી એવું મનાય. એકાંતે માનતાં મોક્ષમાર્ગનો લોપ થાય. માટે વ્યવહારથી અધ્યવસાનાદિ સર્વ જીવનાં કહ્યાં છે. (૪૭-૪૮) વ્યવહાર પર રાજા અને સૈન્યનું દૃષ્ટાંત.
નિશ્ચયથી જીવનું સ્વરૂપ ઃ
ગાથા (૪૯) ચેતના લક્ષણવાળો જીવ રસ આદિ પુદ્ગલનાં લક્ષણોથી રહિત શાથી છે તે સકારણ બતાવ્યું છે. તેથી (૫૦-૫૫) વર્ણ, રૂપ, શરીર, સંસ્થાન આદિથી ગુણસ્થાન સુધી સર્વ જીવનાં
નથી.
વ્યવહારથી તે વર્ણાદિ જીવનાં છે, નિશ્ચયથી નથી : ગાથા (૫૬-૫૭) વ્યવહારનય પર્યાયાશ્રિત છે અને નિશ્ચયનય
Jain Educationa International
For Personal and Private Use Only
પૃષ્ઠ
૪૩
૪૬
૪૯
૫૫
www.jainelibrary.org