________________
૬. નિર્જરા અધિકાર
૧૭૫
સ્વાગતા ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्व रागरसवर्जनशीलः । लिप्यते सकलकर्मभिरेषः कर्ममध्यपतितोऽपि ततो न ॥१४९ ॥
જેથી જ્ઞાની પોતાના આત્મપરિણમનરૂપ રસથી કરીને પણ સંપૂર્ણ રાગભાવરૂપ રસને ત્યાગવાના સ્વભાવવાળા છે, તેથી કર્મની વચ્ચે રહેવા છતાં તેઓ સર્વ કર્મોથી લપાતા નથી. (કલશ ૧૪૯)
તે વિષે ગાથા કહે છે :णाणी रागप्पजहो सव्वदव्वेसु कम्ममझगदो । णो लिप्पदि रजएण दु कद्दममझे जहा कणयं ॥२१८॥ अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममज्झगदो । लिप्पदि कम्मरएण दु कद्दममझे जहा लोहं ॥२१९॥ રાગ તજે સવિ દ્રવ્યમાં, જ્ઞાની કર્મ સુમધ્ય; જો રજથી લેપાય ના, કંચન કર્દમ મધ્ય. ૨૧૮ રાગ કરે સવિ દ્રવ્યમાં, અજાણ કર્મ સુમધ્ય; જો રજથી લેપાય છે, લોઢું કર્દમ મધ્ય. ૨૧૯
સુવર્ણ કાદવમાં પડ્યું હોય છતાં પોતાના અલિપ્ત સ્વભાવને લઈને જેમ લેવાતું નથી, તેમ જ્ઞાની ભોગક્રિયા અને અનેક પ્રકારનાં કાર્યો કરવા છતાં પરદ્રવ્ય પ્રત્યેના રાગને ત્યાગવાના સ્વભાવવાળા હોવાથી કર્મરજથી લેપાતા નથી. પરંતુ લો કાદવમાં પડ્યું હોય તો પોતાના કટાવાના સ્વભાવને લઈને જેમ લેપાય છે, તેમ અજ્ઞાની ભોગક્રિયા તથા સંસારના અનેક પ્રકારનાં કાર્યો કરતાં પરદ્રવ્ય પ્રત્યેના રાગને સ્વપણે ગ્રહણ કરવાના સ્વભાવવાળો હોવાથી કર્મરજથી લેપાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org