________________
૧૭૪
શ્રી સમયસાર છે તે ઉપભોગના નિમિત્ત છે. તે સર્વ અવ્યવસાનો ભિન્નસ્વભાવી હોવાથી જ્ઞાનીને તે પ્રત્યે રાગ નથી. જ્ઞાની તો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકસ્વભાવવાળા હોવાથી તે અધ્યવસાનોને પોતાના માનવારૂપ રાગ કરતા નથી. * અહીં તાત્પર્ય એ છે કે અજ્ઞાનદશામાં જીવને નિરંતર જે અધ્યવસાન થાય છે તે તપાસીએ તો તેમાંના ઘણા તો ઉપર કહ્યા તેવા વેદ્યવેદક ભાવ જેવા સર્વથા નિરર્થક અપધ્યાનરૂપ હોય છે, તેનાથી જીવને કંઈ લાભ ન થતાં ઘણા કર્મબંધ અને વ્યાકુળતારૂપ હાનિ જ થાય છે. જ્ઞાની એવા મિથ્યા અધ્યવસાનને તો ત્યાગે છે, કારણ મિથ્યાત્વ અને અજ્ઞાન ટળીને જ્ઞાન પ્રગટ થતાં મિથ્યાઅધ્યવસાન સહેજે મંદ પડી જાય છે. તેમ છતાં સમ્યગ્રુષ્ટિ જ્ઞાનીને પણ અવિરતિના ઉદયાનુસાર વ્યવહારમાં પ્રવર્તતાં સંસારમાં રાગદ્વેષ નિમિત્તે અને દેહના સુખદુ:ખ નિમિત્તે કાર્યકારી એવા અધ્યવસાન થાય છે. પરંતુ જ્ઞાની તે અધ્યવસાનોને ઇષ્ટ માનતા નથી, માત્ર નિર્વિકલ્પ જ્ઞાન-પરિણતિને જ ઇષ્ટ માને છે; તેથી જ્ઞાનીને અધ્યવસાનમાં રાગ નથી.
ज्ञानिनो न हि परिग्रहभावं कर्म रागरसरिक्ततयैति । रंगयुक्तिरकषायितवस्त्रे स्वीकृतैव हि बहिर्जुठतीह ॥१४८॥
જ્ઞાનીની ક્રિયા રાગ રસ રહિતપણે થતી હોવાથી કર્મનો સંયોગ જ્ઞાનીના પરિગ્રહભાવને ધારણ કરતો નથી અર્થાત્ જ્ઞાનીને ગાઢ કર્મબંધ નથી. જેમકે રંગવાની ક્રિયા ફટકડી વગેરેના પાસ રહિત એવા અકષાયલા વસ્ત્રને થાય છે, ત્યારે રંગને સંયોગ તે વસ્ત્રને બહારથી જ રહે છે અર્થાત્ પાકો રંગ ચઢતો નથી.
(કલશ ૧૪૮)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org