SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ જ્ઞાની સાંપ્રત ભોગમાં, રાખે વિયોગબુદ્ધિ; વળી અનાગત ભોગમાં, લેશ ન તેને વૃદ્ધિ. ૨૧૫ શ્રી સમયસાર કર્મઉદયનો ઉપભોગ અતીત, વર્તમાન અને અનાગત એ ત્રણ પ્રકારનો છે. તેમાં અતીત ભોગો તો પસાર થઈ ગયા હોવાથી જ્ઞાનીના પરિગ્રહભાવને ધારણ કરી શકતા નથી. વર્તમાન ભોગ જો રાગબુદ્ધિથી પ્રવર્તાવે તો જ તે પરિગ્રહ રૂપ થાય, પરંતુ જ્ઞાનીને રાગરૂપ અજ્ઞાનભાવનો અભાવ હોવાથી કર્મોદયજનિત વર્તમાન ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિથી પ્રવર્તાવતો દેખાતો નથી અને તે વર્તમાન ઉપભોગો ક્ષણે ક્ષણે નાશ પામતા હોવાથી, જ્ઞાની પ્રાપ્ત ભોગોમાં વિયોગબુદ્ધિ રાખે છે, તેથી વર્તમાન ભોગો જ્ઞાનીના પરિગ્રહ થતા નથી. અનાગત ભોગની ઇચ્છા થાય તો જ તે પરિગ્રહભાવને ધારણ કરે, પરંતુ જ્ઞાનીને ઇચ્છારૂપ અજ્ઞાનભાવનો અભાવ હોવાથી અનાગત ભોગને તો જ્ઞાની ખરેખર ઇચ્છતા જ નથી. તેથી અનાગત કર્મોદયનો ઉપભોગ પણ જ્ઞાનીને પરિગ્રહરૂપ થતો નથી. અનાગત ભોગોને જ્ઞાની કેમ ઇચ્છતા નથી ? તે કહે છે : जो वेददि वेदिज्जदि समए समए विणस्सदे उभयं । तं जाणगो द णाणी उभयंपि ण कंखड़ कयावि ॥ २१६ ॥ ક્ષણ ક્ષણ નાશ થતા રહે, વેદક વેધ દ્વિભાવ; જ્ઞાની જ્ઞાયક તેહના, ચહે ન એક્કે ભાવ. ૨૧૬ સ્વભાવભાવનું વપણું હોવાથી જ્ઞાની તો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમાં નિત્ય રહે છે. અનાગત ભોગોની ઇચ્છા જ્ઞાની કરતા નથી. કારણ કે ઇચ્છારૂપ વેદ્યભાવ છે અને ભોગવવારૂપ વેદકભાવ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy