________________
૧૦૧
૬. નિર્જરા અધિકાર एमादिए दु विविहे सव्वे भावे य णिच्छदे णाणी । जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ ॥२१४॥ એમ સર્વ પરભાવમાં, જ્ઞાની નિરિચ્છ સાવ; નિરાલંબ સર્વત્ર તે, નિશ્ચિત જ્ઞાયક ભાવ. ૨૧૪
એ આદિ અન્ય પણ જે બહુ પ્રકારે પરદ્રવ્યના ભાવો છે તે સર્વને જ્ઞાની ઇચ્છતા નથી તેથી જ્ઞાનીને સર્વે પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. એમ જ્ઞાનીનું અત્યંત નિષ્પરિગ્રહીપણું સિદ્ધ થયું.
એ રીતે સર્વ પ્રકારના બાહ્ય અત્યંતર ચેતન અચેતન પરપદાર્થના પરિગ્રહથી રહિત થવાથી જેણે સમસ્ત અજ્ઞાનને વમી નાખ્યું છે, એવા જ્ઞાની સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને નિશ્ચિત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવે પરિણમેલા સાક્ષાત્ વિજ્ઞાનઘન એવા પોતાના આત્માને અનુભવે છે.
સ્વાગતા पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः । तद्भवत्वथ च रागवियोगात् नूनमेति न परिग्रहभावम् ॥१४६ ॥
પૂર્વે બંધાયેલાં એવાં પોતાનાં કર્મના ફળરૂપ વિપાકથી જ્ઞાનીને જો વિષયોનો ઉપભોગ છે તો તે ભલે હો, પણ રાગના વિયોગથી ખરેખર તે તેના પરિગ્રહભાવને પામતા નથી. (કલશ ૧૪૬)
કર્મનો ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહરૂપ કેમ થતો નથી ? તે કહે છે :
उप्पण्णोदयभोगो विओगबुद्धीए तस्स सो णिच्चं । कंखामणागयस्स य उदयस्स ण कुव्वए णाणी ॥२१५॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org