SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. નિર્જરા અધિકાર ૧૬૯ જો પરદ્રવ્ય મારું પોતાનું થાય તો હું તેરૂપે પરિણમું. એમ અજીવનો સ્વામી થતાં મને અજીવપણાનો પ્રસંગ આવે. તેમ ન થાઓ. હું તો એક જ્ઞાયકભાવનો જ સ્વામી છું. તેથી જ્ઞાતા જ રહીશ. પરદ્રવ્યને મારા પરિગ્રહરૂપે ગ્રહણ નહિ કરું. આ મારો નિશ્ચય છે. તેથી જ્ઞાની સામાન્યપણે સર્વ પરિગ્રહને ત્યાગે છે : छिज्जदु वा भिज्जदु वा णिज्जदुवा अहव जादु विप्पलयं। जह्मा तह्मा गच्छदु तहवि हु ण परिग्गहो मज्झ ॥२०९॥ છિન્ન-ભિન્ન સૌ થાવ કે, ભલે સર્વ લૂંટાવ; વિણસો કે વિખરાવ પણ, પરિગ્રહ નહિ મુજ થાવ. ૨૦૯ - જે પરદ્રવ્ય છે તે સર્વ પરદ્રવ્યરૂપ જ છે. તે મારું નથી, હું તેનો સ્વામી નથી. તેથી તે છેદાઈ જાઓ, ભેદાઈ જાઓ, કોઈ લઈ જાઓ અથવા નાશ પામો કે જ્યાં ત્યાં ચાલ્યું જાઓ, તેમાં મને હર્ષવિષાદ નથી. મારું જે સ્વરૂપ છે તે જ મારું પોતાનું છે અને તેનો જ હું સ્વામી છું. એમ જ્ઞાની જાણે છે. વસંતતિલકા इत्थं परिग्रहमपास्य समस्तमेव सामान्यतः स्वपरयोरविवेकहे तुम् । अज्ञानमुज्झितुमना अधुना विशेषाद् “યસ્તવ પરિત્યે પ્રવૃત્તઃ ૨૪૧ / - આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત પરિગ્રહને ત્યાગીને સ્વપર અવિવેકનું કારણ એવા અજ્ઞાનને છોડવાના મનવાળા જ્ઞાની હવે તે જ પરિગ્રહને વિશેષપણે ત્યાગવા તત્પર થાય છે. (કલશ ૧૪૫) જ્ઞાની વિશેષપણે સર્વ પરિગ્રહને ત્યાગે છે? Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy