________________
૬. નિર્જરા અધિકાર
૧૬૭
મેળવતાં તેઓ કર્મથી મુકાતા નથી. તેથી જેને કર્મથી છૂટવું છે એવા મુમુક્ષુએ માત્ર જ્ઞાનના અવલંબનથી નિશ્ચિત એવું આ એક પદ અવશ્ય પ્રાપ્ત કરવા યોગ્ય છે.
દ્રુતવિલંબિત
पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल तत इदं निजबोधकलाबलात् कलयितुं यततां सततं जगत्
।
(૪૩ ||
ખરેખર આ પદ કર્મ-ક્રિયા વડે પ્રાપ્ત થવું દુર્લભ છે પરંતુ સહજ બોધલા-સ્વાભાવિક જ્ઞાનપરિણતિથી સુલભ છે; તેથી પોતાની જ્ઞાનપરિણતિના બળથી તેને અનુભવવાનો આ જગત સતત યત્ન કરે. (કલશ ૧૪૩)
જ્ઞાનથી તે પદ પ્રાપ્ત કરવાની વિધિને કહે છે :
एद िरदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदाि । " एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ॥ २०६ ॥ એમાં રત નિત્યે રહો, એથી ધરો સંતોષ; એથી તૃપ્ત સદા રહો, મેળવશો તો મોક્ષ. ૨૦૬
જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્ય આત્મા અથવા સાચું પોતાનું છે, એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદા પ્રીતિ કર; જેટલું આ જ્ઞાન છે તેટલી જ સત્ય આશિષ અથવા હિત-કલ્યાણ છે, એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદા સંતોષ માન; જેટલું આ જ્ઞાન છે તેટલું જ ખરેખર અનુભવવાયોગ્ય છે, એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદા તૃપ્ત રહે. હે ભવ્ય ! એ રીતે સદા આત્મરક્ત, આત્મસંતોષી અને આત્મતૃપ્ત એવા તને વચનથી વર્ણવી ન શકાય એવું સુખ પ્રાપ્ત થશે, તે તું તત્ક્ષણ પોતે જ જોઈશ, અન્યને પૂછીશ નહિ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org