________________
૧૬૬
આ
શ્રી સમયસાર
શ્રા
)
ચૈતન્યનો સાગર આત્મા, એક હોવા છતાં અનેક થતો મતિ આદિ અનેક તરંગો સહિત પરિણમે છે.
(કલશ ૧૪૧) શાર્દૂલવિક્રીડિત क्लिश्यतां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यंतां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम् । साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमते न हि ॥१४२ ॥
કોઈ જીવો જિજ્ઞાસા વિના અત્યંત દુષ્કર છતાં મોક્ષથી વિમુખ એવી ક્રિયાઓ વડે સ્વયં ક્લેશિત થાઓ અને કોઈ બીજા જીવો જિનાગમમાં કહેલા મહાવ્રત અને તપના ભારથી થાકેલા ચિરકાળ સુધી ક્લેશ પામો, પરંતુ સાક્ષાત મોક્ષરૂપ, સંસારક્લેશ રહિત પદશુદ્ધ ભાવ-જે આ સ્વયં અનુભવાય છે તે સમ્યજ્ઞાનરૂપ હોઈ જ્ઞાનગુણનાં અવલંબન વિના અન્ય કોઈ રીતે પ્રાપ્ત થઈ શકે તેમ નથી.
(કલશ ૧૪૨) જ્ઞાન વિના અન્ય ઉપાયે તે પદની પ્રાપ્તિ નથી :णाणगुणेण विहीणा एयं तु पयं बहूवि ण लहंते । तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ॥२०५॥ જ્ઞાન વિના બહુ જન અહા ! લહે ન સ્વપદ નિવાસ; માટે જ્ઞાન ગ્રહણ કરો, જો છે શિવપદ આશ. ૨૦૫
સર્વ ક્રિયા વડે પણ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, કારણકે ક્રિયામાં જ્ઞાન પ્રકાશતું નથી. જ્ઞાન વડે જ જ્ઞાનની પ્રાપ્તિ છે કારણકે જ્ઞાનમાં જ જ્ઞાન પ્રકાશે છે. તેથી જ્ઞાનશૂન્ય ઘણા જનો ઘણી દુર્ઘટ ધર્મક્રિયાઓ કરવાં છતાં તે પદને મેળવતા નથી. અને તે પદને ન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org