________________
૬. નિર્જરા અધિકાર
૧૬૫ નામનું એક પદ છે, તે આ પરમાર્થરૂપ સાક્ષાત્ મોક્ષનો ઉપાય છે. જ્ઞાનના મતિ શ્રત આદિ ભેદો તે પદને ભેદતા નથી, પરંતુ પ્રગટ કરે છે.
જેમકે વાદળાંથી ઢંકાયેલા સૂર્યના, તે વાદળાંના વીખરાવા પ્રમાણે પ્રગટ થતા પ્રકાશના ભેદો સૂર્યના પ્રકાશસ્વભાવને ભેદતા નથી, પરંતુ પ્રગટ કરે છે, તેવી રીતે કર્યાવરણથી ઢંકાયેલા આત્માના તે કર્મના ક્ષયોપશમ પ્રમાણે પ્રગટ થતા જ્ઞાનના ભેદો આત્માના એક જ્ઞાનસ્વભાવને ભેદતા નથી, પરંતુ પ્રગટ કરે છે. માટે સકલ ભેદ રહિત આત્મસ્વભાવભૂત એક જ્ઞાન જ અવલંબવાયોગ્ય છે. તે અવલંબનથી સ્વ-પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિ નાશ થાય છે, આત્મલાભ થાય છે, અનાત્માનો ત્યાગ સિદ્ધ થાય છે, કર્મ મૂર્શિત કરતાં નથી, રાગદ્વેષમોહ ઉદ્ભવતા નથી, તેથી કર્મ આસવતાં નથી, તેથી કર્મ બંધાતાં નથી. પૂર્વે બંધાયેલાં કર્મ ભોગવાઈને નિર્જરી જાય છે. એમ સર્વ કર્મનો અભાવ થતાં સાક્ષાત મોક્ષ થાય છે.
શાર્દૂલવિક્રીડિત अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमंडलर सप्रारभारमत्ता इव । यस्याभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन्. .. वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः ॥१४१ ॥
સંપૂર્ણ પદાર્થના ગુણપર્યાયને જાણવારૂપ રસને પીને તેની અતિશયતાથી મત્ત થઈ હોય એવી જે આ સંવેદનની વ્યકિતઓજ્ઞાનીના જ્ઞાનભાવો-અત્યંત નિર્મળપણે સ્વયં પરિણમે છે. તે સર્વ ભાવોમાં અભિન્નરસવાળે આ ભગવાન, અદ્ભુત ગુણોનો નિધિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org