________________
૧૬૩
૬. નિર્જરા અધિકાર બેઠો છે અને રાગાદિમાં પ્રવર્તે છે; તેને સદ્ગ ઉપદેશ છે કે આ વિભાવ તારા નથી, નિરંતર શુદ્ધભાવમાં પરિણમવું એ જ તારો સ્થાયી સ્વભાવ છે.
અહીં શિષ્ય પૂછે છે કે હે ગુરુ ! તે પદ કયું છે ? તે કહે છે - आदह्मि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं । थिरमेगमिमं भावं उवलब्भंतं सहावेण ॥२७३॥ આત્મામાં જે અપદરૂપ, કર્મ કર્મકૃત ભાવ; તે ત્યાગી ગ્રહ એક આ, સહજપ્રાપ્ત સ્થિરભાવ. ૨૦૩
આ જગતમાં ભગવાન આત્મામાં ઘણા પ્રકારનાં કર્મનાં પરિણામ અને આત્માનાં પરિણામ થતાં દેખાય છે. તેમાં જે ભાવો આત્માના સ્વભાવરૂપે પ્રાપ્ત થતા નથી તે ખરેખર અનિયત અવસ્થાવાળા, અનેક, ક્ષણિક અને અશુદ્ધ છે. તે સર્વે ભાવો સ્વયં અસ્થાયી હોવાથી આત્માને ઠરવાનું સ્થાન થવા અશક્ય છે. તેથી તે આત્માના અપદ છે. પરંતુ જે ભાવ આત્માના સ્વભાવમાં પરિણમવાથી પ્રાપ્ત થતો સદા રહેનારો છે, એક છે, નિત્ય છે, શુદ્ધ છે, તે ભાવ સ્થિર રહી શક્યો હોવાથી આત્માને ઠરવાનું સ્થાન થવાયોગ્ય છે. તેથી તે જ આત્માનું પદ છે. માટે સર્વ અસ્થાયીભાવોને ત્યાગીને પરમાર્થમાં રસપૂર્વક તલ્લીન થવાથી સ્થાયીભાવે અનુભવાતું આ જ્ઞાન જ એક અનુભવવાયોગ્ય છે.
' અનુષ્ટ્રપ एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम् ।
अपदान्येव भासते पदान्यन्यानि यत्पुरः ॥१३९ ।। તે એક જ પદ અનુભવવાયોગ્ય છે કે જે પદ ચતુર્ગતિમાં ભટકવારૂપ વિપત્તિઓનું સ્થાન થતું નથી અને જેની સામે બીજા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org