________________
૬. નિર્જરા અધિકાર
ગ્રહણથી અને પરભાવના ત્યાગથી પ્રાપ્ત થતા સ્વસ્વરૂપને વિસ્તારતા સર્વ કર્મોદયજન્ય ભાવોને છોડે છે. તેથી સય્યદ્રષ્ટિ નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે.
મંદાક્રાંતા
सम्यग्दृष्टिः स्वयमयमहं जातु बंधो न मे स्यादित्युक्त्तानोत्पुलक वदना रागिणोऽप्याचरं तु । आलंबतां समितिपरतां ते यतोऽद्यापि पापा आत्मानात्मावगमविरहात्संति
સમ્યક્ત્વરિત્તાઃ ॥૨૩૭||
આ હું તો સમ્યગ્દષ્ટિ છું અને મને કદાપિ કર્મબંધ થતો નથી, એમ કેટલાક પોતે રાગદ્વેષ પરિણામ સહિત છતાં ગર્વથી ઊંચું મુખ કરીને બોલે છે, તેઓ ભલે સમિતિમાં તત્પર રહીને મહાવ્રતોનું પાલન કરે તો પણ પાપી છે; કારણ કે તેઓને આત્મા ને અનાત્માનું જ્ઞાન ન હોવાથી ખરેખર સમ્યક્ત્વરહિત મિથ્યાવૃષ્ટિ જ છે.
(કલશ ૧૩૭)
૧૬૧
परमाणुमित्तयं पि हु रायादीणं तु विज्जदे जस्स । वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि ॥ २०१ ॥ अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणंतो । कह होदि सम्मदिट्ठी जीवाजीवे अयाणंतो ॥ २०२ ॥ અણુ માત્ર રાગાદિનું, જેને હૈયે હોય; તે જાણે નહિ આત્મને, આગમ જાણે તોય. ૨૦૧ આત્માને જાણે નહીં, અજીવને પણ તેમ; જીવાજીવ અજાણ તે, સમ્યગ્દષ્ટિ જ કેમ ? ૨૦૨
જેના હૃદયને વિષે પરદ્રવ્ય પ્રત્યે લેશ માત્ર પણ રાગ વર્તે છે તે સર્વ આગમનો જાણનાર અર્થાત્ ઘણા અધ્યાત્મ ગ્રંથોનો પારંગત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org