________________
૧૫૮
શ્રી સમયસાર
એવા પુદ્ગલ કર્મના ઉદયને વેહ્તાં છતાં પોતે બંધાતા નથી. આ જ્ઞાનનું સામર્થ્ય કહ્યું.
(૨) હવે વૈરાગ્યસામર્થ્ય દર્શાવે છે :
जह मज्जं पिवमाणो अरदिभावेण मज्जदि ण पुरिसो । दव्वुवभोगे अरदो णाणी विण बन्झदि तहेव ॥ १९६ ॥ અરુચિથી મદિરા પીએ, તે જન થાય ન મત્ત; ભોગવતાં બંધાય ના, જ્ઞાની તેમ વિરક્ત. ૧૯૬
જેમ કોઈને મદિરા પ્રત્યે તીવ્ર અણગમો છે, તે કોઈ કારણસર મદિરા પીવા છતાં તીવ્ર અરતિભાવના સામર્થ્યથી ઉન્મત્ત થતો નથી; તેમ જ્ઞાનીને વિષયો પ્રત્યે તીવ્ર વૈરાગ્ય છે, તેથી વિષયસુખને ઉદયાનુસાર ભોગવવાં પડે છતાં તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યથી બંધાતા નથી.
રથોદ્ધતા नाश्रुते विषयसेवनेऽपि यत् स्वं फलं विषयसेवनस्य ना ज्ञानवै भवविरागताबलात् सेवकोऽपि तदसावसेवक :
૫૬૩૬
આ સમ્યગ્દષ્ટિ પુરુષ વિષયોને સેવવા છતાં જે વિષયસેવનનું ફળ, કર્મબંધ અને સંસાર-પરિભ્રમણ છે, તેને પામતો નથી; એ જ્ઞાનનો મહાન વૈભવ છે અને વિરાગતાની કોઈ અદ્ભુત શક્તિ છે કે જેથી તે વિષયોને સેવવા છતાં અસેવક રહે છે. (કલશ ૧૩૫) આગળ એ જ અર્થને દૃષ્ટાંતથી પ્રગટ કરે છે : सेवंतोवि ण सेवइ असेवमाणोवि सेवणो कोई । पगरणचेट्ठा कस्सवि ण य पायरणोत्ति सो होई ॥१९७॥ સેવે પણ નથી સેવતા, અસેવી સેવે કોય; મુનીમ કાર્ય સઘળાં કરે, સ્વામી શેઠ જ હોય. ૧૯૭ :
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org