________________
૧૫૬
શ્રી સમયસાર
ગજસ્નાનવત્ નિર્જરા હોવાથી સંવરનો અભાવ છે. આ દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહ્યું.
શંકા - સમ્યગ્દષ્ટિને રાગદ્વેષ નથી એ કેવી રીતે?
સમાધાન :- આ નિશ્ચયનયનો ગ્રંથ છે તેથી વીતરાગ સમ્યગ્દષ્ટિનું જ મુખ્યપણે ગ્રહણ કર્યું છે. પરંતુ અસંયત સમ્યગૃષ્ટિને પણ અનંતાનુબંધી કષાય અને મિથ્યાત્વનો અભાવ હોવાથી મિથ્યાવૃષ્ટિ સાથે સરખાવતાં ઘણી નિર્જરા થાય છે, એમ ઉત્તરોત્તર : વિશેષ વિશેષ નિર્જરા સમ્યવૃષ્ટિને થાય છે એમ સમજવું; કારણ કે મિથ્યાવૃષ્ટિની અપેક્ષાએ સમ્યવ્રુષ્ટિ અબંધક છે.
હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છે - दव्वे उव जंते णियमा जायदि सुहं वा दुक्खं वा । तं सुहदुक्खमुदिण्णं वेददि अहणिज्जरं जादि ॥१९४॥ દ્રવ્યતણા ઉપભોગમાં, સુખ દુઃખ જે વેદાય; જ્ઞાનીને તે વેદતાં, અહો ! નિર્જરા થાય. ૧૯૪
જ્યારે ઉદય આવેલાં દ્રવ્યકર્મને જીવ ભોગવે છે, ત્યારે સ્વાભાવિક રીતે તેને શાતાઅશાતાના ઉદયવશ સુખદુઃખરૂપ ભાવ ઊપજે છે.
મિથ્યાવૃષ્ટિ તે સુખદુઃખમાં ઉપાદેય બુદ્ધિથી “હું સુખી', હું દુઃખી' એમ તન્મય થતો રાગદ્વેષના સભાવથી ઉદય આવતાં કર્મથી અધિક નવાં કર્મ બાંધી લે છે. તેથી પૂર્વ કર્મ ભોગવવા છતાં તેને વાસ્તવિક નિર્જરા થતી નથી, પણ બંધ જ થાય છે.
સમ્યગ્દષ્ટિ જીવ તે કર્મભનિત સુખદુઃખને આત્માના વીતરાગ સ્વસંવેદન ભાવથી ઉત્પન્ન થતા પારમાર્થિક સુખથી ભિન્ન જાણતો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org