SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ શ્રી સમયસાર सुद्धं तु वियाणंतो सुद्धं चेवप्पयं लहइ जीवो । जाणंतो दु असुद्धं असुद्धमेवप्पयं लहइ ॥१८६॥ શુદ્ધાત્માને જાણતો, જીવ લહે શુદ્ધાત્મ; પણ અશુદ્ધને જાણતો, લહે અશુદ્ધ જ આત્મ. ૧૮૬ જ્ઞાનમય ભાવથી જ્ઞાનમય ભાવ અને અજ્ઞાનમય ભાવથી અજ્ઞાનમય ભાવ પ્રાપ્ત થાય, એ ન્યાયે જે ખરેખર નિત્ય નિરંતર વહેતી ધારારૂપ જ્ઞાનથી શુદ્ધાત્માને ઉપાસે છે તે નવીન કર્માસવના નિમિત્તરૂપ રાગદ્વેષમોહની સંતતિના નિરોધથી શુદ્ધાત્માને મેળવે છે. અને જે નિત્ય અજ્ઞાનવડે અશુદ્ધ આત્માને ઉપાસે છે તે નવીન કર્માસવના નિમિત્તરૂપ રાગદ્વેષમોહિની સંતતિનો નિરોધ ન કરવાથી અશુદ્ધ આત્માને મેળવે છે. તેથી શુદ્ધાત્માની ઉપાસના અથવા પ્રાપ્તિથી સંવર થાય છે. માલિની : ય િથમ િધારાવાદિના વોધને ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते ।। तदयमुदयदात्माराममात्मानमात्मा परपरिणतिरोधाच्छुद्धमेवाभ्युपैति ॥१२७॥ આ આત્મા જો કોઈ પણ ઉપાયે નિરંતર વહેતી ધારારૂપ એકતાર જ્ઞાનપરિણતિથી નિશ્ચયપણે અનુભવાતા શુદ્ધાત્મામાં સ્થિર થઈને રહે, તો તે રાગાદિ પરપરિણતિના રોધરૂપ સંવરથી ઉદય થતા આત્માના આરામસ્થાનરૂપ શુદ્ધપરમાત્માને પ્રાપ્ત થાય છે. (કલશ ૧૨૭) કેવા પ્રકારે સંવર થાય છે ? તે કહે છે - अप्पाणमप्पणा रुधिऊण दोपुण्णपावजोएसु । दंसणणाणह्मि ठिओ इच्छाविरदो य अण्णहि ॥१८७॥ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy