________________
૫. સંવર અધિકાર
૧૪૯
(૧) ભેદવિજ્ઞાનથી જ શુદ્ધાત્માની પ્રાપ્તિ શી રીતે થાય છે? તે કહે છે-
'
' , जह कणयमग्गितवियं पि कणयभावं ण तं परिच्चयदि । तह कम्मोदयतविदो ण जहदि णाणी दु णाणित्त ॥१८४॥ एवं जाणदि णाणो अण्णाणी मुणदि रायमेवादं । अण्णाणतमोच्छण्णो आदसहावं . अयाणंतो ॥१८५॥
અગ્નિતત સુવર્ણ જો, તજે ન સ્વર્ણસ્વભાવ; કર્મોદય-સંતપ્ત પણ, તજે ન સંત સ્વભાવ; ૧૮૪ જ્ઞાની જાણે ભેદ એ, અજ્ઞ નહીં નિજરૂપ; અજ્ઞાનાચ્છાદિત લહે, રાગ જ આત્મસ્વરૂપ. ૧૮૫
ગમે તેટલા તીવ્ર અગ્નિથી તપ્ત થયેલું સુવર્ણ સુવર્ણપણાને છોડતું નથી, તેવી રીતે પ્રચંડ કર્મવિપાકથી કરાયેલું છતાં જ્ઞાન જ્ઞાનપણાને છોડતું નથી. જે સ્વભાવને છોડે તો વસ્તુનો નાશ થાય, પણ સત્ વસ્તુનો નાશ કોઈ કાળે થતો નથી, તેથી હજારો કારણ મળે છતાં સ્વભાવનો ત્યાગ થઈ શકે નહિ. આ સત્યને જ્ઞાની જાણે છે, તેથી તે પરિષહ-ઉપસર્ગમાં વિશેષપણે કર્મથી ઘેરાયેલા છતાં પણ રાગદ્વેષમોહને કરતા નથી, પરંતુ શુદ્ધાત્માને જ ઉપાસે છે. જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન નથી, તે અજ્ઞાની અજ્ઞાનરૂપ અંધકારથી આવરણ પામવાના કારણે આત્મસ્વભાવને ચૈતન્ય ચમત્કાર માત્ર ન જાણતો રાગાદિ રૂપ માને છે. એમ રાગાદિને અને આત્માને એક માનતો રાગ કરે છે, દ્વેષ કરે છે, મોહ કરે છે, અને કદાપિ શુદ્ધાત્માને પ્રાપ્ત થતો નથી. તેથી ભેદવિજ્ઞાનથી જ' શુદ્ધાત્મપ્રાપ્તિ છે.
(૨) શુદ્ધાત્મપ્રાપ્તિથી જ સંવર શી રીતે થાય તે કહે છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org