________________
૧૪૬
૫. સંવર અધિકાર હવે સંવર પ્રવેશ કરે છે..
શાર્દૂલવિક્રીડિત आसंसारविरोधिसंवरजयैकांतावलिप्तास्रवन्यक्कारात् प्रतिलब्धनित्यविजयं संपादयत्संवरम् व्यावृत्तं पररूपतो नियमितं सम्यक्स्वरूपे स्फुरज्योतिश्चिन्मयमुज्ज्वलं निजरसप्राग्भारमुज्जृभते ॥१२५ ।।
અનાદિ સંસાર કાળથી પોતાનો વિરોધ કરનાર પ્રતિપક્ષી એવા સંવરના જયથી એકાત્ત ગર્વિષ્ઠ થયેલા આસવને હઠાવવાથી સદાને માટે વિજયવંત બનેલા સંવરને પ્રાપ્ત કરતી, અર્થાત્ પરસ્વરૂપથી પાછી વળીને પોતાના સમ્યક સ્વરૂપમાં સ્કુરાયમાન થતી આ ઉજ્વલ ચૈતન્યજ્યોતિ હવે પોતાના ચૈતન્યરસની અતિશયતાના ભારથી ભરેલી ઉદય પામીને ફેલાય છે.
(કલશ ૧૨૫) ભાવાર્થ : જે ચૈતન્યજ્યોતિ પ્રથમ પરમાં પરિણમતી હતી ત્યારે આસવરૂપ હતી, તે હવે પરરૂપથી પાછી વળીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં પરિણમતી સંવરરૂપ થાય છે. અર્થાતુ જ્યાં મિથ્યાત્વરાગાદિમાં પરિણમવારૂપ આસવ નથી ત્યાં સંવર છે. એમ આસવથી ઊલટું સંવરનું સ્વરૂપ છે.
ત્યાં સકલ કર્મ-સંવરના પરમ ઉપાયરૂપ ભેદવિજ્ઞાનને પ્રથમ જ અભિનંદે છે – उवओगे उवओगो कोहादिसु णत्थि को वि उवओगो । कोहे कोहो चेव हि उवओगे णस्थि खलु कोहो ॥१८१॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org