SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર હેતુમાનભાવનું અનિવાર્યપણું હોવાથી તે દ્રવ્યાસવો પુદ્ગલકર્મને જ્ઞાનાવરણાદિરૂપે પરિણમાવે છે. જેમકે પુરુષવડે આહાર ગ્રહણ કરાય છે, તો તે આહારનું ઉદરાગ્નિના સંયોગથી રસ, રુધિર, માંસ આદિ વિચિત્રભાવે અનિવાર્યપણે પરિણમન થાય છે, એ વાત પ્રસિદ્ધ છે. એમ શુદ્ધનયવિહીન જીવો કર્મબંધ કરે છે. ૧૪૪ અનુષ્ટુપ इदमेवात्र तात्पर्यं हेयः शुद्धनयो न हि । नास्ति बंधस्तदत्यागात्तत्त्यागाद् बंध एव हि ॥ १२२ ॥ અહીં અથવા આ ગ્રંથનું તાત્પર્ય એ છે કે શુદ્ઘનય છાંડવાયોગ્ય નથી કારણ કે તેનો ત્યાગ ન કરવાથી બંધ નથી અને તે શુદ્ધનયનો ત્યાગ કરે તો અવશ્ય બંધ થાય છે. (કલશ ૧૨૨) ॥ શાર્દૂલવિક્રીડિત धीरोदार महिम्न्यनादिनिधने बोधे निबधन्धृतिं त्याज्यः शुद्धनयो न जातु कृतिभिः सर्वकषः कर्मणाम् । तंत्रस्थाः स्वमरीचिचक्रमचिरात्संहृत्य निर्यद्द्बहि: पूर्ण ज्ञानघनौघमे कमचलं पश्यंति शांतं महः ॥ १२३ ॥ ધીર ઉદાર-અચળપણે સર્વ પદાર્થોને જોવા જાણવારૂપ મહિમાવાળા, અનાદિઅનંત જ્ઞાનમાં ધૃતિની સ્થિરતા-અચળ શ્રદ્ધા કરાવનાર અને સર્વ કર્મોને મૂળથી ઉખેડનાર એવા શુદ્ધનયને પુણ્યવાન મહાપુરુષોએ કદાપિ છોડવાયોગ્ય નથી. તે શુદ્ઘનયમાં રહેનારાઓ પરમાં જતાં પોતાનાં જ્ઞાનનાં કિરણોને, મતિ આદિ ભેદોને શીઘ્ર સમેટીને બહાર જતા રોકીને, પૂર્ણ જ્ઞાનઘનના સમૂહરૂપ એક માત્ર અચળ એવા પોતાના પરમ શાંત તેજસ્વરૂપને જાએ છે. (કલશ ૧૨૩) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy