________________
શ્રી સમયસાર
અવિનાભાવી નિયમ કહ્યો તે અહીં મિથ્યાત્વ સંબંધી અનંતાનુબંધી રાગાદિનો અભાવ સમજવો. તેને જ રાગાદિ મુખ્યપણે માન્યા છે. સમ્યગ્દષ્ટિ થયા પછી ચારિત્રમોહ સંબંધી જે રાગાદિ રહે છે તેની અહીં ગણતરી કરી નથી કારણ કે તે ગૌણ છે. જેથી મિથ્યાત્વ અને તત્સંબંધી રાગદ્વેષના અભાવમાં નવાં કર્મ અલ્પ બંધાય છે ને મોક્ષનો સદ્ભાવ થાય છે, તેથી સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને બંધ નથી એમ અપેક્ષાએ કહ્યું છે. અહીં સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેલ છે તે પણ અપેક્ષાએ સમજવાનું છે. પ્રથમ તો જેને જ્ઞાન હોય તે જ્ઞાની કહેવાય એમ સામાન્ય જ્ઞાનની અપેક્ષા લઈએ તો સર્વ જીવ જ્ઞાની છે. અને સમ્યજ્ઞાન મિથ્યાજ્ઞાનની અપેક્ષા લઈએ તો સમ્યગ્દર્શન અથવા આત્મજ્ઞાન થતાં જ્ઞાન સમ્યક્ થાય છે, એ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ જ્ઞાની છે અને મિથ્યાવૃષ્ટિ અજ્ઞાની છે. જો સંપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લઈએ તો કેવલી ભગવાન જ્ઞાની છે, કારણકે જ્યાં સુધી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. એમ અનેકાંતથી વિધિનિષેધ સર્વ અપેક્ષાએ નિર્બાધ સિદ્ધ થાય છે. સર્વથા એકાંત કંઈ સાધી શકતું નથી. એ રીતે જ્ઞાનીને બંધ નથી એમ શુદ્ધનયથી કહેવાય છે. તે શુદ્ધનયનો મહિમા નીચેના કલશમાં પ્રગટ કરે છે :
૧૪૨
વસંતતિલકા
अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्नमैकाग्रयमेव कलयंति सदैव ये ते । रागादिमुक्तमनसः सततं भवंतः पश्यंति बंधविधुरं समयस्य सारम् ॥१२०॥
-
પ્રબળ જ્ઞાન જેનું ચિહ્ન છે એવા શુદ્ઘનયનું દૃઢ અવલંબન લઈને જેઓ સદા એકાગ્રતાને જ અનુભવે છે તેઓ નિરંતર
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International