SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર અવિનાભાવી નિયમ કહ્યો તે અહીં મિથ્યાત્વ સંબંધી અનંતાનુબંધી રાગાદિનો અભાવ સમજવો. તેને જ રાગાદિ મુખ્યપણે માન્યા છે. સમ્યગ્દષ્ટિ થયા પછી ચારિત્રમોહ સંબંધી જે રાગાદિ રહે છે તેની અહીં ગણતરી કરી નથી કારણ કે તે ગૌણ છે. જેથી મિથ્યાત્વ અને તત્સંબંધી રાગદ્વેષના અભાવમાં નવાં કર્મ અલ્પ બંધાય છે ને મોક્ષનો સદ્ભાવ થાય છે, તેથી સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને બંધ નથી એમ અપેક્ષાએ કહ્યું છે. અહીં સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહેલ છે તે પણ અપેક્ષાએ સમજવાનું છે. પ્રથમ તો જેને જ્ઞાન હોય તે જ્ઞાની કહેવાય એમ સામાન્ય જ્ઞાનની અપેક્ષા લઈએ તો સર્વ જીવ જ્ઞાની છે. અને સમ્યજ્ઞાન મિથ્યાજ્ઞાનની અપેક્ષા લઈએ તો સમ્યગ્દર્શન અથવા આત્મજ્ઞાન થતાં જ્ઞાન સમ્યક્ થાય છે, એ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિ જ્ઞાની છે અને મિથ્યાવૃષ્ટિ અજ્ઞાની છે. જો સંપૂર્ણ જ્ઞાનની અપેક્ષા લઈએ તો કેવલી ભગવાન જ્ઞાની છે, કારણકે જ્યાં સુધી કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી બારમા ગુણસ્થાન સુધી અજ્ઞાનભાવ કહ્યો છે. એમ અનેકાંતથી વિધિનિષેધ સર્વ અપેક્ષાએ નિર્બાધ સિદ્ધ થાય છે. સર્વથા એકાંત કંઈ સાધી શકતું નથી. એ રીતે જ્ઞાનીને બંધ નથી એમ શુદ્ધનયથી કહેવાય છે. તે શુદ્ધનયનો મહિમા નીચેના કલશમાં પ્રગટ કરે છે : ૧૪૨ વસંતતિલકા अध्यास्य शुद्धनयमुद्धतबोधचिह्नमैकाग्रयमेव कलयंति सदैव ये ते । रागादिमुक्तमनसः सततं भवंतः पश्यंति बंधविधुरं समयस्य सारम् ॥१२०॥ - પ્રબળ જ્ઞાન જેનું ચિહ્ન છે એવા શુદ્ઘનયનું દૃઢ અવલંબન લઈને જેઓ સદા એકાગ્રતાને જ અનુભવે છે તેઓ નિરંતર For Personal and Private Use Only www.jainelibrary.org Jain Educationa International
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy