SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ શ્રી સમયસાર બાલસ્ત્રી સમાન પૂર્વે ઉપભોગને અયોગ્ય છતાં, ઉદય અવસ્થામાં યૌવનપ્રાપ્ત પૂર્વપરિણીત સ્ત્રી સમાન ઉપભોગ યોગ્ય થાય છે, તો પણ કર્મઉદયનું કાર્ય-જીવના રાગાદિભાવના સદ્ભાવથી જ બાંધી શકે છે. તેથી જ્ઞાનીને જો પૂર્વબદ્ધ પ્રત્યયો છે તો ભલે હો. તથાપિ કર્મોદયનું કાર્ય રાગદ્વેષમોહ રૂપ આસવભાવના અભાવમાં દ્રવ્યપ્રત્યયો બંધના હેતુ થતા નથી. તેથી જ્ઞાની તો નિત્ય નિરાસવ જ છે. r અર્થાત્ જેવી રીતે તરતની પરણેલી બાલસ્ત્રી પુરુષને ઉપભોગ્ય નથી તેથી બાંધી શકતી નથી, પરંતુ તે જ સ્ત્રી યૌવનને પ્રાપ્ત થતાં ઉપભોગ્ય થાય છે ત્યારે બાંધે છે; તેમ છતાં જો પુરુષ તેને વશ થાય તો જ તે યુવાન સ્ત્રી બાંધી શકે છે. તેવી રીતે જ્ઞાનીને જે કર્મ સત્તામાં રહ્યાં છે તે તો કંઈ અસર કરતાં નથી, પરંતુ જે દ્રવ્યપ્રત્યયો ઉદય આવે છે તેનું કાર્ય, રાગદ્વેષોહ ઉત્પન્ન કરાવીને જ્ઞાનાવરણાદિ સાત અને આયુષ સાથે આઠ એ પ્રકારે નવાં કર્મ બાંધવાનું છે. તેમ છતાં જીવભાવને અનુસરીને જ તે ઉદયકર્મ પણ બાંધી શકે છે. સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને રાગદ્વેષ મોહરૂપ ભાવઆસવનો અભાવ છે. તેથી દ્રવ્યપ્રત્યયો સત્તામાં હોય કે ઉદય આવે તો પણ બંધના કારણ થઈ શકતાં નથી. એ રીતે સર્વ પૂર્વબદ્ધ દ્રવ્યાસવની સંતતિ વિદ્યમાન છતાં રાગદ્વેષમોહરૂપ આસર્વભાવના અભાવમાં જ્ઞાની નિત્ય નિરાસવ જ છે. માલિની * ' विजहति न हि सत्तां प्रत्ययाः पूर्वबद्धाः સમયમનુસરતો યદ્યપિ દ્રવ્યમા ! t '. तदपि सकलराग द्वेषमोहव्युदासाવતત ન નાતુ જ્ઞાનિમઃ - વર્મનંષ: ૨૨૮ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy