________________
૧૩૮
શ્રી સમયસાર જ્ઞાનીને બુદ્ધિપૂર્વક રાગદ્વેષમોહ ઓસવનો અભાવ છે તેથી જ્ઞાની નિરાસવ છે. પરંતુ જ્યાં સુધી જ્ઞાનદર્શનચારિત્ર ગુણ પૂર્ણપણે ન પરિણમે ત્યાં સુધી જઘન્યજ્ઞાને અનુમાન કરાતા અબુદ્ધિપૂર્વક રાગાદિ કલંકના સદ્ભાવથી જ્ઞાનીને પુદ્ગલકર્મબંધ થયા કરે છે. તેથી જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનમાં પૂર્ણપણે ન પરિણમે ત્યાં સુધી જ્ઞાનદર્શનચારિત્રને જ્ઞાનમાં સ્થિર કરવાનો પુરુષાર્થ સતત કર્તવ્ય છે. કેવલજ્ઞાન થતાં સાક્ષાત્ જ્ઞાનસ્વરૂપ થયેલો આત્મા સર્વથા નિરાસવ થાય છે.
તાત્પર્ય કે જ્ઞાની સર્વ રાગભાવને-દોષોને હેય જાણે છે તેથી તેને છોડવાના જ પ્રયત્નમાં વર્તે છે. તે કેવી રીતે કે પોતાથી બને તેટલા પ્રમાણમાં તો રાગભાવને રોકે છે છતાં પરનિમિત્તથી અનિચ્છાએ રાગાદિ થાય તેને જાણે છે તે બુદ્ધિપૂર્વક રાગ છે અને સત્તામાંથી કર્મનો ઉદય થતો હોવાથી કેવલીગોચર સૂક્ષ્મ રાગભાવો થાય તે અબુદ્ધિપૂર્વક રાગ છે.'
( શાર્દૂલવિક્રીડિત संन्यस्यनिजबुद्धिपूर्वमनिशं रागं समग्रं स्वयं वारंवारमबुद्धिपूर्वमपि तं जेतुं स्वशक्तिं स्पृशन् । उच्छिन्दन्परवृत्तिमेव सकलां ज्ञानस्य पूर्णो भवन् आत्मा नित्य निरास्त्रवो भवति हि ज्ञानी यदा स्यात्तदा ॥११६॥
જ્ઞાન થતાં આત્મા બુદ્ધિપૂર્વક રાગને પોતાથી ભિન્ન જાણી નિરંતર સમગ્રપણે સ્વયં ત્યાગ કરતો જાય છે; અને અબુદ્ધિપૂર્વક રાગને પણ જીતવા માટે પોતાની જ્ઞાનશક્તિને વારંવાર ફોરવતો જાય છે; એ સતે જ્ઞાનની સર્વ પર પરિણતિને ઉચ્છેદતો પૂર્ણ થતો જાય છે. તેથી આત્મા જ્યારે જ્ઞાની થાય ત્યારે તે નિત્યનિરાસવ જ થાય છે.
(કલશ ૧૧૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org