________________
આ
10
I
]
૪
.
.
૪. આસ્રવ અધિકાર
૧૩૭ જ્યાં સુધી જ્ઞાનગુણનો જધન્યભાવ-ક્ષયોપશમભાવ છે ત્યાં સુધી તે અંતર્મુહૂર્ત વિપરિણામી છે. અર્થાત્ અન્તર્મુહૂર્ત સુધી જ નિર્વિકલ્પ રહી શકે છે, ત્યાર બાદ પુનઃ પણ અન્ય પ્રકારે એટલે વિકલ્પ સહિત પરિણમે છે અને યથાખ્યાતચારિત્ર પહેલાં અવશ્ય થનારા રાગભાવના સદ્ભાવથી તે જ્ઞાનગુણપરિણામ બંધહેતું થાય જ છે.
તાત્પર્ય કે સમ્યફષ્ટિ થયા પછી પણ આત્માનો ઉપયોગ જ્ઞાનમાં જઘન્યપણે પરિણમે છે કારણ કે અવિરતિ આદિ ત્રણ પ્રત્યયોનો તેમજ સમ્યકત્વ મોહનીયનો ઉદય હોવાથી ઉપયોગ અંતર્મુહૂર્તથી અધિક જ્ઞાનમાં સ્થિર થતો નથી. ફરી પાછો અન્ય ભાવમાં જાય છે તેથી જ્ઞાનીને અનિચ્છાએ બંધ થાય છે. છતાં અબંધક કહેવાય છે; કારણ કે ચોથા ગુણસ્થાને મિથ્યાત્વ અને અનંતાનુબંધીને લગતી ૧૬+૨૫ એ ૪૧ પાપપ્રકૃતિનો નિરોધ થાય છે. તે સિવાયની ૭૯ પ્રકૃતિમાંથી વિશેષે પુણ્ય પ્રકૃતિ બંધાય છે, તેની સ્થિતિ પણ મિથ્યાત્વ ગુણસ્થાન કરતાં ઘણી ઓછી અંતઃકોટાકોટીની પડે છે, તેથી અજ્ઞાની સાથે સરખાવતાં જ્ઞાની અબંધક કહેવાય છે. પરંતુ જ્ઞાનગુણની પૂર્ણતારૂપ યથાખ્યાતચારિત્ર ન પ્રગટે ત્યાં સુધી રાગભાવનો સદ્ભાવ હોવાથી જ્ઞાનીને પણ અનેક કર્મ અભિપ્રાયરહિતપણે બંધાય છે.
તેમ કર્મબંધ છતાં જ્ઞાની નિરાન્સવ કેવી રીતે? તે કહે છેदंसपणाणचरित्तं जं परिणमदे जहाणभावेण । - णाणी सेण दुबझदि मुग्मलकम्मेण विविढे ॥१७॥
દર્શન જ્ઞાન ચરિત્ર ગુણ, પરિણમતા જે મંદ; , તેથી વિધવિધ કર્મનો શાનીને પણ બંધ કરે
'
'
',
-
'
ક
*
કે
*
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org