________________
૧૩૬
-
શ્રી સમયસાર
ઉપજાતિ भावात्रवाभावमयं प्रपन्नो द्रव्यास्रवेभ्यः स्वत एव भिन्नः । ज्ञानी सदा ज्ञानमयैकभावो निरास्रवो ज्ञायक एक एव ॥११५ ॥
એમ ભાવાસવના અભાવને પામેલા અને દ્રવ્યાસવથી તો સ્વાભાવિકપણે જ ભિન્ન એવા જ્ઞાની સદા એક જ્ઞાનમયભાવવાળા જ્ઞાતા માત્ર હોવાથી નિરાસવ જ છે. (કલશ ૧૧૫)
જ્ઞાની નિરાસવ કેવી રીતે છે? તે કહે છે :चउविह अणेमभेयं बंधते णाणदंसणगुणेहिं । समए समए जह्मा तेण अबंधोत्ति णाणी दु ॥१७०॥ દર્શનજ્ઞાન-ગુણે કરી, પ્રત્યય બાંધે ચાર; સમય સમય પણ બંધનો, જ્ઞાનીને પરિહાર. ૧૭૦
જ્ઞાનીને સમયે સમયે ઉદય આવતા મિથ્યાત્વ (સમ્યક્ત્વમોહનીયરૂપે) અવિરતિ, કષાય ને યોગ એ ચાર પ્રત્યયો દર્શનજ્ઞાન ગુણને જઘન્યગુણે પરિણમાવે છે, તેથી અનેક પ્રકારના નવીન પુદ્ગલકર્મ બંધાય છે. પરંતુ તેમાં જ્ઞાનીને આસવનો અભિપ્રાય કે ઈચ્છા નથી, તેથી અબંધક કહેવાતા જ્ઞાની નિરાસવ જ છે, અને
ત્યયો કર્તા છે કારણ કે પ્રત્યયના ઉદયાનુસાર થતાં ગુણસ્થાન અથવા જ્ઞાનગુણનાં પરિણામ બંધહેતુ છે.
જ્ઞાનગુણપરિણામ બંધહેતુ કેવી રીતે છે? તે કહે છે - जह्मा दु जहण्णादो णाणगुणादो पुणोवि परिणमदि । अण्णत्तं णाणगुणो तेण दु सो बंधगो भणिदो ॥१७१॥ જઘન્ય જ્ઞાનગુણે કરી, પરિણમતા વિપરીત; ફરી પણ તેથી જ્ઞાનીને, અંશે બંધ ખચીત. ૧૭૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org