SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રી સમયસાર સમ્યદ્રષ્ટિને ચારિત્રમોહના ઉદયરૂપ ધક્કાથી જે રાગાદિ થાય છે તેને તે ઇષ્ટ માનતા નથી, પરંતુ રોગરૂપ જાણીને ટાળવા ઇચ્છે છે, તે કારણથી થતા અલ્પબંધની અપેક્ષાએ સમ્યગૃષ્ટિને રાગરહિત નિત્ય અકર્તા કહેલ છે. જ્યાં રાગદ્વેષમોહ હોય ત્યાં આસવ હોય એવો નિયમ છે - भावो रागादिजुदो जीवेण कदो दु बंधगो भणिदो । रागादिविप्पमुक्को अबंधगो जाणगो णवरि ॥१६७॥ જીવભાવ રાગાદિ યુત, કરે કર્મનો બંધ; રાગાદિથી વિમુક્ત તે, જ્ઞાયક માત્ર અબંધ. ૧૬૭ જેવી રીતે લોહચુંબકના સંપર્ક (નિકટતા) થી થતો આકર્ષણનો ભાવ સોયને બંધ પ્રતિ પ્રેરે છે, તેમ રાગદ્વેષમોહ સાથેના સંપર્કથી થતો અજ્ઞાનમયભાવ જીવને કર્મબંધ પ્રતિ પ્રેરે છે; અને જેમ લોહચુંબકની દૂરવર્તિતાથી પ્રગટ થતો આકર્ષણનો અભાવ સોયને બંધ પ્રતિ ન પ્રેરતાં સ્વભાવમાં સ્થિત કરે છે, તેમ રાગદ્વેષમોહ અને આત્માના ભેદજ્ઞાનથી પ્રગટ થતો જ્ઞાનમયભાવ જીવને કર્મબંધ પ્રતિ ન પ્રેરતાં પોતાના જ્ઞાનસ્વભાવમાં જ સ્થાપન કરે છે. જ્ઞાનીને એવો રાગાદિના સંપર્કરહિત ભાવ સંભવે છે - पक्के फलह्मि पडिए जह ण फलं बज्झए पुणो विंटे । जीवस्स कम्मभावे पडिए ण पुणोदयमुवेई ॥१६८॥ પાકું ફળ પડતાં ફરી, ડીટે નહિ જોડાય; કર્મભાવ ઝડતાં ફરી, ઉદય જીવે નહિ થાય. ૧૬૮ જેમ પાકેલું ફળ એક વાર ખરી જતાં ફરી તે ડીંટા સાથે બાઝતું નથી, તેમ કર્મોદયજન્ય ભાવ જીવભાવથી એક વાર છૂટો Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy