________________
૪. આવ અધિકાર
૧૩૩
એ પુલના સ્વપરિણામથી થાય છે અને તે પુદ્ગલના વિકારરૂપ છે. આસવનાં કારણ હોવાથી પ્રત્યયને પણ આસવ કહેવામાં આવે છે.
દ્રવ્ય મિથ્યાત્વઅવિરતિકષાયયોગ એ જ્ઞાનાવરણાદિ આઠ કર્મ આવવાનાં કારણ છે, અને તે દ્રવ્ય મિથ્યાત્વાદિને આસવરૂપે પરિણમાવવામાં નિમિત્તભૂત ભાવ મિથ્યાત્વઅવિરતિકષાયયોગ અથવા રાગદ્વેષ મોહ છે. જે દ્રવ્ય પ્રત્યયો ઉદય આવે તેમાં એકાકાર : થઈને જીવ જો રાગાદિભાવે પરિણમે તો બંધ થાય, પરંતુ જીવ જો રાગાદિભાવે ન પરિણમે તો બંધ થાય નહિ. એકલા દ્રવ્યકર્મના ઉદયથી બંધ થતો હોય તો કોઈ છૂટી શકે નહિ. કારણ કે સંસારમાં કર્મનો ઉદય તો જ્ઞાની તેમજ અજ્ઞાની સર્વને હોય છે. પરંતુ દ્રવ્ય આસવથી ખેંચાઈને જીવ મિથ્યાત્વરાગદ્વેષ ભાવે પરિણમે તો જ આસવ થાય છે. તે દ્રવ્યપ્રત્યયો અને ભાવપ્રત્યયોના ઉત્તર ભેદ અનંત છે. એ રીતે રાગદ્વેષોહ આસવના નિમિત્તના નિમિત્ત હોવાથી તે પણ આસ્રવ કહેવાય છે, અને તે માત્ર અજ્ઞાનીને થાય છે.
જ્ઞાનીને તેનો અભાવ છે તે દર્શાવે છે - णत्थि दु आसवबंधो सम्मादिहिस्स आसवणिरोहो । संते पुव्वणिबद्धे जाणदि सो ते अबंधंतो ॥१६६॥ સમ્યવ્રુષ્ટિ જીવને, હોય ન આસવ-બંધ; પૂર્વબદ્ધ જાણે છતાં, રાગરહિત અબંધ. ૧૬૬
સમ્યવ્રુષ્ટિ જ્ઞાનીને જ્ઞાનમય ભાવ હોવાથી, અજ્ઞાનજનિતરાગષમોહ ભાવોનો અવશ્ય નિરોધ થાય છે. તેથી નવાં કર્મ બંધાતાં નથી, પૂર્વે બાંધેલાં કર્મ ઉદય આવે છે તેને માત્ર જાણે જ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org