________________
૧૩૨
૪. આસ્રવ અધિકાર
હવે આસ્રવ પ્રવેશ કરે છે.
દ્રુવિલંબિત
अथ महामदनिर्भरमंथरं समररंगपरागतमास्त्रवम् । अयमुदारगभीरमहोदयो जयति दुर्जयबोधधनुर्धरः ॥११३॥
પછી અત્યંત મદઝરતો હોવાથી મદમાતી મંદ ચાલે ચાલતો રણક્ષેત્રરૂપ રંગભૂમિપર આવેલો જે આસવરૂપ યોદ્ધો તેને આ ઉદાર. ગંભીર મહા યશસ્વી દુર્દય બોધરૂપી બાણાવળી (યોદ્ધો) જીતે છે. (કલશ ૧૧૩)
આસ્રવનું સ્વરૂપ કહે છે :
मिच्छत्तं अविरमणं कसायजोगा य सण्णसण्णा दु । बहुविहया जीवे तस्सेव अणण्णपरिणामा ॥१६४॥ णाणावरणादीयस्स ते दु कम्मस्स कारणं होंति । तेसिं पि होदि जीवो य रागदोसादिभावकरो ॥ १६५ ॥ મિથ્યાત્વાવિરતિ કષાય, યોગ જીવાજીવ ભેદ; બહુવિધ જીવ-વિકાર જે, તે જીવમાંહિ અભેદ. ૧૬૪ જ્ઞાનાવરણાદિક તણા, કારણ તેહ અજીવ; તેનું પણ કારણ બને, રાગાદિયુત જીવ. ૧૬૫
મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ એ આસ્રવો જીવ અજીવ એમ બે બે પ્રકારે છે. જીવ અથવા ભાવ મિથ્યાત્વઅવિરતિકષાયયોગ એ જીવના સ્વપરિણામથી થાય છે અને તે ચેતનના વિકારરૂપ ચિદાભાસ છે. અજીવ અથવા દ્રવ્યમિથ્યાત્વઅવિરતિકષાયયોગ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org