________________
૩. પુણ્યપાપ અધિકાર
૧૨૯
કરનાર કર્મ સ્વયં બંધરૂપ છે એ સિદ્ધ થાય છે. એમ કર્મ સ્વયં બંધરૂપ હોવાથી તેનો નિષેધ કરાય છે.
૩. કર્મ મોક્ષહેતુને રોકનાર પ્રતિપક્ષ ભાવ છે :
सम्मत्तपडिणिबद्धं मिच्छत्तं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो मिच्छा दिट्टित्ति णायव्वो ॥ १६९ ॥ णाणस्स पडिणिबद्धं अण्णाणं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो अण्णाणी होदि णायव्वो ॥ १६२ ॥ चारित्तपडिणिबद्धं कसायं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो अचरित्तो होदि णायव्वो ॥ १६३ ॥ સમકિત રોધક કર્મ જે, તે મિથ્યાત્વ વદાય; તેના ઉદયે જીવ તો, મિથ્યાવૃષ્ટિ ગણાય. ૧૬૧ જ્ઞાનનિરોધક કર્મ જે, તે અજ્ઞાન વદાય; તેના ઉદયે જીવ તો, અજ્ઞાની લેખાય. ૧૬૨ ચારિત્રરોધી કર્મનું, કષાય નામ વદાય; તેના ઉદયે જીવને, કુચારિત્ર કથાય. ૧૬૩
મોક્ષહેતુના સમ્યક્ત્વસ્વભાવને રોકનાર મિથ્યાત્વ કર્મ છે. તેનો સ્વયં ઉદય થવાથી મિથ્યાત્વભાવે જીવ પરિણમે છે, મોક્ષહેતુના જ્ઞાનસ્વભાવને રોકનાર અજ્ઞાન કર્મ છે તેનો સ્વયં ઉદય થવાથી અજ્ઞાનભાવે જીવ પરિણમે છે, મોક્ષહેતુના ચારિત્રસ્વભાવને રોકનાર કષાયકર્મ છે તેનો સ્વયં ઉદય થવાથી અચારિત્રભાવે જીવ પરિણમે છે. એમ કર્મ, મોક્ષહેતુ જ્ઞાનને રોકનાર (પ્રગટ ન થવા દેનાર) અને પ્રતિપક્ષભાવને પ્રગટ કરનાર હોવાથી તેનો સર્વથા નિષેધ કરાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org