SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રી સમયસાર જેમ રીતે વસ્ત્રનો શ્વેત સ્વભાવ પરભાવભૂત એવા મેલના સંબંધથી આચ્છાદિત થાય છે, તેવી રીતે મોક્ષહેતુ જ્ઞાનનો સમ્યકત્વસ્વભાવ પરભાવ ભૂત એવા મિથ્યાત્વ નામના કર્મમલથી આવરણ પામે છે, મોક્ષહેતુ જ્ઞાનનો જ્ઞાનસ્વભાવ પરભાવભૂત એવા અજ્ઞાન નામના કર્મમલથી આવરણ પામે છે, અને મોક્ષહેતુ જ્ઞાનનો ચારિત્રસ્વભાવ પરભાવભૂત એવા કષાય નામના કર્મમલથી આવરણ પામે છે. એ રીતે મોક્ષહેતુ જ્ઞાનને કર્મ આવરણ કરનાર હોવાથી તેનો નિષેધ કરાય છે. અર્થાત્ સમ્યફદર્શનજ્ઞાનચારિત્ર એ મોક્ષમાર્ગ છે તેમાં સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્ર જ્ઞાનના સ્વભાવ હોવાથી ત્રણે નિશ્ચયથી એક જ્ઞાનરૂપ છે, તેથી એક જ્ઞાન જ મોક્ષહેતુ છે. તે જ્ઞાન અથવા શુદ્ધાત્માને ઉપર કહ્યું તેમ કર્મ આવરણ કરે છે, તેથી કર્મનો નિષેધ કરાય છે. ૨.કર્મ સ્વયં બંધરૂપ છે - सो सव्वणाणदरिसी कम्मरएण णियेणवच्छण्णो । संसारसमावण्णो ण विजाणदि सव्वदो सव्वं ॥१६०॥ સર્વ જ્ઞાનદર્શી છતાં, જીવ કર્મઆધીન; રહે ફરે સંસારમાં, સર્વ ન જાણે દીન. ૧૬૦ જ્ઞાનસ્વરૂપ આત્મા નિશ્ચયથી લોકાલોક પ્રકાશક સંપૂર્ણ જ્ઞાનદર્શન સ્વભાવવાળો છતાં અનાદિથી પોતાના જ અપરાધે કરીને, સ્વયં પરિણમતા કર્મમલના આવરણથી બંધ અવસ્થાને પામેલો અને તે બંધઅવસ્થામાં સર્વથા સર્વને જાણનાર એવા પોતાને ન જાણતો અજ્ઞાન ભાવથી જ કર્મ ઉપાર્જન કરીને તેમાં જકડાઈ રહેલો સંસારમાં પરિભ્રમણ કરે છે. તેથી તેને આવરણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy