________________
૧૨૬
શ્રી સમયસાર છે. વ્રતસંયમ ત્યાગીને અશુભમાં પ્રવર્તવાનો ઉપદેશ જ્ઞાની કરતા નથી.
એ રીતે પરમાર્થ મહેતુ જ્ઞાન સિવાય અન્ય શુભાશુભ સર્વ કર્મનો નિષેધ કરાય છે - मोत्तूण णिच्छयटुं ववहारेण विदुसा पवटृति । परमट्ठमस्सिदाण दु जदीण कम्मक्खओ विहिओ ॥१५६॥ નિશ્ચયાર્થ તજી વિજ્ઞજન, ભજે નહીં વ્યવહાર; પરમાર્થાશ્રિત શ્રમણને, કહ્યો કર્મક્ષય સાર. ૧પ૬
જ્ઞાન સ્વદ્રવ્યસ્વભાવી હોવાથી તે જ્ઞાનનું પરમાર્થ મોક્ષહેતુ રૂપે થવું સંભવે છે; વ્રત તપ આદિ સ્વદ્રવ્યસ્વભાવી ન હોવાથી તે રૂપે જ્ઞાનનું થવું સંભવતું નથી. નિશ્ચયમોક્ષમાર્ગ એકદ્રવ્યસ્વભાવી છે. જ્ઞાન આત્મસ્વભાવી છે. માટે તે આત્માના મોક્ષનું કારણ થાય છે. એટલે નિશ્ચયને મૂકીને બુદ્ધિમાન વ્યવહારમાં પ્રવર્તતા નથી કારણ કે નિશ્ચયને આશ્રય કરનાર શ્રમણ જ કર્મક્ષય કરે છે.
અનુષ્ટ્રપ वृत्तं ज्ञानस्वभावेन ज्ञानस्य भवनं सदा । एकद्रव्यस्वभावत्वान्मोक्षहेतुस्तदेव तत् ॥१०६॥ જ્ઞાનસ્વભાવે પરિણમવું તે હંમેશા જ્ઞાનનું થયું છે અને તે એકદ્રવ્યસ્વભાવી હોવાથી તે જ મોક્ષનું કારણ છે. (કલશ ૧૦૬)
અનુરુપ वृत्तं कर्मस्वभावेन ज्ञानस्य भवनं न हि । द्रव्यांतरस्वभावत्वान्मोक्षहेतुर्न कर्म तत् ॥१०७॥ કર્મ સ્વભાવે પરિણમવું તે જ્ઞાનનું થવું નથી, કારણ કે કર્મ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org