________________
૧૨૪
શ્રી સમયસાર
શિખરિણી यदेतद् ज्ञानात्मा ध्रुवमचलमाभाति भवनं शिवस्यायं हेतुः स्वयमपि यतस्तच्छिव इति । अतोऽन्यबंधस्य स्वयमपि यतो बंध इति तत् ततो ज्ञानात्मत्वं भवनमनुभूतिर्हि विहितम् ॥१०५ ॥
જે આ જ્ઞાનાત્મા ધ્રુવ અને અચળ થવાપણે પ્રકાશે છે તે જ મોક્ષનો હેતુ છે અને પોતે પણ સ્વયં મોક્ષરૂપ છે. આ જ્ઞાનાત્માથી ભિન્ન જે કંઈ છે તે બંધના હેતુ છે અને તે સ્વયં બંધરૂપ જ છે. તેથી જ્ઞાનાત્મપણે થવારૂપ અનુભૂતિ પ્રાપ્ત કરવાનું શાસ્ત્રમાં કહ્યું છે.
(કલશ ૧૦૫) પુણ્યનો પક્ષ કરનારાને પ્રતિબોધવા કહે છે :परमट्ठबाहिरा जे ते अण्णाणेण पुण्णमिच्छंति । संसारगमणहेतुं वि मोक्खहेर्दू अजाणता ॥१५४॥ અજ્ઞાને પરમાર્થહીન, કરે પુણ્ય-અભિલાષ; શિવ-ભવ-હેતુ અજાણ તે, ચહે પુણ્યથી મોક્ષ. ૧૫૪
એવા પરમાર્થબાહ્ય કોઈ જન આ જગતમાં સર્વ કર્મના ક્ષયથી થતા આત્મલાભરૂપ મોક્ષ મેળવવાની ઇચ્છાથી દીક્ષા ધારણ કરે છે ત્યારે પરમાર્થથી જ્ઞાનમાત્ર એકાગ્રતા લક્ષણવાળા સમયસારરૂપ સામાયિકની પ્રતિજ્ઞા કરીને, પછી જેનો અંત પામવો મુશ્કેલ છે એવાં કર્મની પરંપરાની પાર જવા અસમર્થ હોવાથી પરમાર્થભૂત જ્ઞાનાનુભવમાત્ર સામાયિક સ્વરૂપ આત્મસ્વભાવને ન મેળવતા, સ્કૂલ સંક્લેશ પરિણામરૂપ વાપબંધના કારણથી અટકયા છે અને સ્કૂલ વિશુદ્ધ પરિણામરૂપ પુણ્યબંધના કારણમાં પ્રવર્તે છે; તેઓ કર્મના તીવ્ર મંદ ઉદયના જ્ઞાન માત્રથી સંતુષ્ટ ચિત્તવાળા થયેલા, સ્વયં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org