________________
૩. પુણ્યપાપ અધિકાર
છે કે વ્રત વગેરે ધારે છે તે મોક્ષનાં કારણ થતાં નથી, પરંતુ અજ્ઞાન સહિત હોવાથી બંધનાં કારણ થાય છે. તેથી શ્રી જિને તે સર્વને બાલતપ અને બાલવ્રત કહીને નિષેધ્યાં છે.
મોક્ષહેતુ જ્ઞાન અને બંધહેતુ અજ્ઞાન નિયમથી છે :
वदणियमाणि धरता सीलाणि तहा तवं च कुव्वंता । परमट्ट बाहिरा जे णिव्वाणं ते ण विंदंति ॥१५३॥ વ્રતનિયમોને ધારતા, તપ તપતા શીલવાન; પણ પરમાર્થ રહિત તો, પામે નહિ નિર્વાણ. ૧૫૩
૧૨૩
જ્ઞાન એ જ મોક્ષ હેતુ છે, કારણ કે તેના અભાવમાં સ્વયં અજ્ઞાની થતા અજ્ઞાનીઓને અંતરંગ વ્રત નિયમ શીલ તપ વગેરે શુભકર્મના સદ્ભાવમાં પણ મોક્ષનો અભાવ છે. વળી અજ્ઞાન એ જ બંધહેતુ છે, કારણકે તેના અભાવમાં સ્વયં જ્ઞાની થતા જ્ઞાનીઓને બાહ્ય વ્રત નિયમ શીલ તપ વગેરે શુભકર્મના અભાવમાં પણ મોક્ષનો સદ્ભાવ છે.
તાત્પર્ય કે અશુભભાવથી પાપ બંધાય છે, શુભભાવથી પુણ્ય બંધાય છે અને શુદ્ધભાવથી મોક્ષ થાય છે. પ્રાયે શુભ વિના શુદ્ધની પ્રાપ્તિ થતી નથી. પ્રથમ તો તે શુદ્ધભાવ પ્રાપ્ત થવા માટે કેટલીક પુણ્ય સામગ્રી તથા મંદકષાયરૂપ શુભ ભાવની પણ અપેક્ષા રહે છે. તે શુભ ભાવ થવામાં વ્રત તપ શીલ આદિ કારણ છે પણ વાસ્તવિક મોક્ષનું કારણ તો અત્યંતર ભેદજ્ઞાન સહિત નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિરતા કરવી એ જ છે. તે પરમાર્થ પ્રાપ્ત થયા વિના વ્રત તપ શાસ્ત્રજ્ઞાન આદિ કોઈ મોક્ષ માટે કાર્યકારી થતાં નથી. તેથી જ્ઞાન એ મોક્ષનું કારણ છે અને અજ્ઞાન એ બંધનું કારણ છે એવો નિયમ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org