________________
શ્રી સમયસાર
कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं । कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि ॥ १४५ ॥ કર્મ અશુભ કુશીલ ને, સુશીલ શુભ જગખ્યાત; કેમ સુશીલ ગણાય જે, કરાવતાં ભવપાત ? ૧૪૫
અશુભ કર્મ (પાપ) કુશીલ હોવાથી હેય છે અને શુભ કર્મ (પુણ્ય) સુશીલ હોવાથી ઉપાદેય છે એમ જગત જાણે છે, તો જે સંસારમાં પ્રવેશ કરાવે તે ઉપાદેય શી રીતે હોય ? અર્થાત્ ન હોય. વ્યવહારથી પુણ્ય સારું અને પાપ ખરાબ એમ ભેદ પડાય છે, પરંતુ એ પક્ષનો નિશ્ચયથી વિરોધ કરાય છે. તે નીચે પ્રમાણે :
-
૧૧૮
૧. હેતુ (ઉત્પત્તિ, કારણ) ભેદપક્ષ
શુભ પરિણામથી પુણ્ય ઊપજે છે,
અશુભ પરિણામથી પાપ ઊપજે છે. અભેદપક્ષ - બન્ને અજ્ઞાનજનિત વિભાવથી ઊપજે છે.
૨. સ્વભાવ.
ભેદપક્ષ
અભેદપક્ષ
૩. અનુભવ (ફળ અથવા રસ)
ભેદપક્ષ
શુભ પુદ્ગલરૂપ પુણ્ય છે. અશુભ પુદ્ગલરૂપ પાપ છે. બન્ને પુદ્ગલરૂપ છે.
પુણ્ય શુભ ફળ - સુખ આપે છે, પાપ અશુભ ફળ-દુ:ખ આપે છે. અભેદપક્ષ - પૌદ્ગલિક સુખદુઃખ વ્યાકુળતા સહિત હોવાથી બન્ને દુ:ખરૂપ જ છે.
૪. આશ્રય.
ભેદપક્ષ
Jain Educationa International
શુભ ક્રિયા મોક્ષમાર્ગનો આશ્રય કરે છે; અશુભ ક્રિયા બંધમાર્ગનો આશ્રય કરે છે.
For Personal and Private Use Only
www.jainelibrary.org