________________
૧૧૪
શ્રી સમયસાર જેમ કે પાણીનો વહેળો નદીના પ્રવાહને છોડીને દૂર ગયો હતો, તે પાછો કોઈ નીચી જમીનને આધારે પોતાના મૂળ પ્રવાહને આવી મળ્યો, તેમ આ આત્મા વિજ્ઞાનઘન સ્વભાવથી શ્રુત થયેલો ઘણા વિકલ્પોની જાળવાળા વિભાવરૂપ ગહન વનમાં ભમતો હતો,
ત્યાં દૂરથી જ વિવેક એટલે ભેદજ્ઞાનરૂપ નીચી જમીનમાં ગમન કરવાથી વેગપૂર્વક પોતાના મૂળ સ્વભાવને પ્રાપ્ત થયો, ત્યારે એક વિજ્ઞાનરસરૂપ થયેલો પોતાના આત્મભાવને વિભાવમાંથી રોકીને આત્મભાવમાં ખેંચી લાવતો તે રસના રસિયા એવા જ્ઞાનીઓની ગતાનુગતતાને સદાને માટે પામે છે. અર્થાત્ અનંતા જ્ઞાનીઓ જે રૂપે પરિણમ્યા તે નિર્વિકલ્પસ્વરૂપે પરિણમે છે. (કલશ ૯૪)
અનુરુપ विकल्पकः परं कर्ता विकल्पः कर्म केवलम् । न जातु कर्तृकर्मत्वं सविकल्पस्य नश्यति ॥१५॥
વિકલ્પવાળો ઉત્કૃષ્ટપણે કર્તા છે અને વિકલ્પ એ જ માત્ર તેનું કર્મ છે. તેથી વિકલ્પસહિત જીવનું કર્તાકર્મપણું કદાપિ નાશ પામતું નથી.
(કલશ ૯૫) રથોદ્ધતા यः करोति स करोति केवलं . यस्तु वेत्ति स तु वेत्ति केवलम् ।
यः करोति न हि वेत्ति स क्वचित्
यस्तु वेत्ति न करोति स क्वचित् ॥१६॥ જે કરે છે તે માત્ર કરે જ છે અને જે જાણે છે તે માત્ર જાણે જ છે. જે કરે છે તે ખરેખર જાણતો નથી અને જે જાણે છે તે કદી કરતો નથી.
(કલશ ૯૬)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org