________________
૧૧૩
૨. કર્તાકર્મ અધિકાર . ગૌણ કરીને મતિજ્ઞાનને આત્માની સન્મુખ કરતો, અનેક નયના વિકલ્પોથી વ્યાકુળતા ઉપજાવતી શ્રુતજ્ઞાનની બુદ્ધિને ગૌણ કરીને શ્રુતજ્ઞાનને પણ આત્માની સન્મુખ કરતો, નિર્વિકલ્પ થઈને શીઘ પોતાના રસથી પ્રગટ થતા આદિ મધ્ય અંત રહિત, વ્યાકુળતા રહિત-શાંત, સર્વ વિશ્વની ઉપર તરતા સર્વોત્કૃષ્ટ, કેવલ એક અખંડ અનંત વિજ્ઞાનઘન પરમાત્મા સમયસારનો અનુભવ કરતો આત્મા જ સમ્યફ દેખાય છે અને જણાય છે; તેથી સમ્યગ્દર્શનજ્ઞાન એ સમયસાર જ છે. અર્થાત્ આત્મા સમ્યગ્દર્શનજ્ઞાન એવા ઉપનામથી ઓળખાય છે અને શુદ્ધ નિર્વિકલ્પ સ્વરૂપે તે જ સાક્ષાત ભગવાન સમયસાર છે.
શાર્દૂલવિક્રીડિત आक्रामन्नविकल्पभावमचलं पौर्नयानां विना सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम् । विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान् ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किंचनैकोऽप्ययम् ॥१३॥
નયોના પક્ષથી રહિત નિર્વિકલ્પ ભાવને અચળપણે પ્રાપ્ત થતાં જે સમયનો સાર આત્મલીન પુરુષો વડે સ્વયં અનુભવાતો પ્રકાશે છે, તે વિજ્ઞાનરૂપ એક રસવાળો આ ભગવાન પવિત્ર પુરાણપુરુષ છે; જ્ઞાન અને દર્શન પણ તે જ છે અથવા બીજાં જે કંઈ સારરૂપ કહો તે પણ આ એક જ છે. (કલશ ૯૩)
શાર્દૂલવિક્રીડિત दूरं भूरिविकल्पजालगहने भ्राम्यन्निजौघाच्च्युतो दूरादेव विवेकनिम्रगमनानीतो निजौघं बलात् । विज्ञानैकरसस्तदेकरसिनामात्मानमात्मा हरन् आत्मन्येव सदा गतानुगततामायात्ययं तोयवत् ॥१४॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org