________________
[૧૨] અનુકૂળ સંયોગમાં તો જીવને કંઈક ઓછી જાગૃતિ હોય તો પણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ યોગ વર્તતા હોય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગૃત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય; અને તેવા કોઈ પ્રવાહમાં ન તણાઈ જવાય. વર્તમાન કાળ દુષમ કહ્યો છે, છતાં તેને વિષે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે. માટે વિચારવાન જીવે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહોમાં ન પડતાં યથાશક્તિ વૈરાગ્યાદિ અવશ્ય આરાધી સગુનો યોગ પ્રાપ્ત કરી કષાયાદિ દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાનથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. મુમુક્ષુ જીવમાં સમાદિ કહ્યા તે ગુણો અવશ્ય સંભવે છે; અથવા તે ગુણો વિના મુમુક્ષુતા ન કહી શકાય. નિત્ય તેવો પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં, ફરી ફરીને પુરુષાર્થ કરતાં, તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. તે મુમુક્ષુતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થમાર્ગ અવશ્ય સમજાય છે.”
આમ જીવના અનઅધિકારીપણાને લીધે તથા સદ્ગુરુના યોગ વિના મોક્ષપ્રાપ્તિની અભિલાષા છતાં, જીવને શુષ્કજ્ઞાનીપણું કે ક્રિયાજડત્વ પ્રાપ્ત થાય છે. તે જોઈને જ્ઞાની પુરુષોને કરુણા ઊપજે છે.
કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ.”
-- શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષમાર્ગની યોગ્યતા આવવા માટે ઉપદેશ બોધની પ્રથમ જરૂર છે. તે વિષે શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૫૦૦માં લખે છે :
“શાસ્ત્રમાં જે જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાન બે પ્રકારમાં વિચારવાયોગ્ય છે. એક પ્રકર ‘ઉપદેશ'નો અને બીજો પ્રકાર સિદ્ધાંતનો છે. “જન્મમરણાદિ કલેશવાળા આ સંસારને ત્યાગવો ઘટે છે; અનિત્ય પદાર્થમાં વિવેકીને રુચિ કરવી હોય નહીં, માતપિતા, સ્વજનાદિક સર્વનો સ્વાર્થરૂપ' સંબંધ છતાં આ જીવ તે જાળનો આશ્રય કર્યા કરે છે, એ જ તેનો અવિવેક છે; પ્રત્યક્ષ રીતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org