________________
૧૦૬
શ્રી સમયસાર
જીવના રાગાદિ ભાવથી ભિન્ન એકલા પુદ્ગલનાં જ કર્મપરિણામ
થાય છે.
શું આત્મામાં કર્મ બદ્ધસ્પષ્ટ છે કે અબĀસ્પષ્ટ છે ? તેનો ઉત્તર આચાર્ય નયવિભાગથી આપે છે ઃ
जीवे कम्मं बद्धं पुटुं चेदि ववहारणयभणिदं । सुद्धणयस्स दु जीवे अबद्धपुढं हवइ कम्मं ॥ १४१ ॥ કર્મ જીવમાં બદ્ધસૃષ્ટ, માને નય વ્યવહાર; તે તેમાં અબદ્ધસૃષ્ટ, એ નિશ્ચય નિરધાર. ૧૪૧
જીવ અને પુદ્ગલકર્મના એક બંધપર્યાયપણાથી તેની અતિ ભિન્નતાના અભાવમાં જીવમાં કર્મ બંધાયેલાં ને સ્પર્શાયેલાં છે એમ વ્યવહારનયના પક્ષનું કથન છે; અને જીવપુદ્ગલના અનેક દ્રવ્યપણાથી અત્યંત ભિન્નતાને કારણે જીવમાં કર્મ બંધાયેલાં કે સ્પર્શાયેલાં નથી એમ નિશ્ચયનયના પક્ષનું કથન છે.
એ નયોથી શું સાધ્ય છે ? તે કહે છે ઃ
कम्मं बद्धमबद्धं जीवे एवं तु जाण णयपक्खं । पक्खातिक्कतो पुण भण्णदि जो सो समयसारो ॥ १४२ ॥ બદ્ધ અબદ્ધ કર્મ જીવમાં, એ જાણો નયપક્ષ; પક્ષાતીત જે તે ખરે, સમયસાર
પ્રત્યક્ષ. ૧૪૨
જીવમાં કર્મ બંધાયેલાં છે અથવા જીવમાં કર્મ બંધાયેલાં નથી, એ બન્ને નયપક્ષ છે. જે તે નયપક્ષની પાર જાય છે, તે સકલ વિકલ્પની પાર ગયેલો સ્વયં વિજ્ઞાનધનસ્વભાવરૂપ થઈને સાક્ષાત્ સમયસાર શુદ્ધાત્મા બને છે. અર્થાત્ જીવમાં કર્મ બદ્ધ છે એમ વિકલ્પ કરે છે, તે જીવમાં કર્મ અબદ્ધ છે એ પક્ષની પાર જાય છે પણ વિકલ્પની પાર જતો નથી; અને જીવમાં કર્મ અબદ્ધ છે, એ
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International