________________
૧૦૪
શ્રી સમયસાર
તત્ત્વ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ તે ન જણાવારૂપ અતત્ત્વપ્રાપ્તિ જે જ્ઞાન સ્વરૂપ આત્મામાં અનુભવાય છે તે અજ્ઞાનનો ઉદય છે. તેની સાથે તન્મય એવા ચાર કર્મહતુ નીચે પ્રમાણે છે. ' (૧) તત્ત્વની અરુચિ અથવા અશ્રદ્ધા જે આત્મામાં અનુભવાય છે, તે મિથ્યાત્વનો ઉદય છે.
(૨) વિષય કષાયથી પાછા ન હઠવારૂપ જે અવિરતિ જ્ઞાનસ્વરૂપ આત્મામાં અનુભવાય છે, તે અસંયમનો ઉદય છે.
(૩) ક્રોધાદિમાં પરિણમવારૂપ જે કલુષિત ઉપયોગ જ્ઞાનસ્વરૂપ આત્મામાં અનુભવાય છે, તે કષાયનો ઉદય છે.
(૪) મનવચનકાયાના વ્યાપારનો ઉત્સાહ જે જ્ઞાનસ્વરૂપ આત્મામાં અનુભવાય છે, તે યોગનો ઉદય છે. તે વ્રતાદિના કાર્યરૂપ હોય તો શુભ કહેવાય અને અવ્રતાદિરૂપ હોય તો અશુભ કહેવાય છે.
એ મિથ્યાત્વાદિ ચારનો ઉદય હેતુરૂપ થતાં પુગલદ્રવ્ય કર્મવર્ગણારૂપે આવીને જ્ઞાનાવરણાદિ આઠ પ્રકારે સ્વયં પરિણમે છે. તે જ્યારે આત્માના પ્રદેશો સાથે બંધાય છે, ત્યારે જીવ પણ સ્વયં અજ્ઞાની થયેલો, પરના અને આત્માના એક્વ-અધ્યાસથી, અજ્ઞાનમય એવા પોતાના અતત્ત્વ શ્રદ્ધાન આદિ ભાવોનો હેતુ થાય છે. -
પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન જ જીવનાં પરિણામ છે અને જીવ દ્રવ્યથી ભિન્ન જ પુદ્ગલનાં પરિણામ છે એમ પ્રથમ બે અને પછી બે ગાથામાં આચાર્ય હવે ઉપસંહાર કરતાં પ્રતિપાદન કરે છે : जीवस्स दुकम्मेण य सह परिणामा हु होति रागादी । एवं जीवो कम्मं च दोवि रागादिमावण्णा ॥१३७॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org