SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમયસાર સ્વપરવિવેક વડે ભિન્ન આત્માની અનુભૂતિ અત્યંત પ્રગટ હોવાથી જ્ઞાનીના ભાવ જ્ઞાનમય જ હોય છે. અને અજ્ઞાનીને તો સમ્યક્ સ્વપરવિવેકના અભાવમાં ભિન્ન આત્માની અનુભૂતિ અત્યંત અપ્રગટ હોવાથી અજ્ઞાનીના ભાવ અજ્ઞાનમય જ હોય છે. ૧૦૦ જ્ઞાનમય અને અજ્ઞાનમય ભાવનું ફળ શું ? તે કહે છે - अण्णाणमओ भावो अण्णाणिणो कुणदि तेण कम्माणि । णाणमओ णाणिस्स दुण कुणदि ता दु कम्माणि ॥१२७॥ અજ્ઞતણા અજ્ઞાનમય--ભાવ, કરે તે કર્મ; જ્ઞાનીના તો જ્ઞાનમય, તેથી તે નિષ્કર્મ. ૧૨૭ અજ્ઞાનીને સમ્યક્ સ્વપર-વિવેકના અભાવમાં ભિન્ન આત્માની અનુભૂતિ અત્યંત અપ્રગટ હોવાથી અજ્ઞાનમય જ ભાવ હોય છે. તેથી અજ્ઞાની સ્વપરના એકત્વ અધ્યાસરૂપ ભ્રાન્તિ વડે જ્ઞાનમાત્રસ્વરૂપથી ભ્રષ્ટ થયેલો પર એવા રાગદ્વેષ સાથે એકમેક થઈને અહંભાવે પ્રવર્તતો, આ હું રાગ કરું છું, દ્વેષ કરું છું અથવા અન્ય રાગ કરે છે, દ્વેષ કરે છે એમ અજ્ઞાનમયભાવથી રાગદ્વેષને આત્માના કરતો કર્મબંધ કરે છે. અને જ્ઞાનીને તો સમ્યક્ સ્વપરવિવેક વડે ભિન્ન આત્માની અનુભૂતિ અત્યંત પ્રગટ હોવાથી જ્ઞાનમય જ ભાવ હોય છે. તેથી શાની સ્વપરના ભેદવિજ્ઞાન વડે જ્ઞાનમાત્રસ્વરૂપમાં સુસ્થિત રહેલા, પર એવા રાગદ્વેષથી ભિન્નપણે પ્રવર્તતા, સ્વાનુભવથી જ જેનો અહંભાવ દૂર થઈ ગયો છે એવા પોતે માત્ર જાણે જ છે, રાગ કે દ્વેષ કરતા નથી. એમ જ્ઞાનમયભાવથી રાગદ્વેષને આત્માના ન કરતા જ્ઞાની કર્મબંધ કરતા નથી. આર્યા ज्ञानमय एव भावः कुतो भवेद् ज्ञानिनो न पुनरन्यः । अज्ञानमयः सर्वः कुतोऽयमज्ञानिनो नान्यः For Personal and Private Use Only Jain Educationa International ૬૬ || www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy