________________
૨. કર્તાકર્મ અધિકાર અપરિણામી માનીએ તો સંસારઅભાવનો પ્રસંગ આવે. જીવને પુદ્ગલ ક્રોધાદિ રૂપે પરિણાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી એમ તર્ક કરો તો તેમાં વિરોધ આવે છે, કારણ કે સ્વયં અપરિણામી સ્વભાવવાળાને પરિણાવી શકાય નહિ અને જો સ્વયં પરિણામી સ્વભાવવાળા જીવને પગલ પરિણમાવે છે એમ કહો તો તે ઘટતું નથી, કારણ કે જે પોતે જ પરિણમવાની શક્તિવાળું છે તે અન્ય દ્રવ્યની અપેક્ષા રાખતું નથી. તેથી જેમ ગરુડનું ધ્યાન કરતો સાધક પોતે ગરુડભાવવાળો થાય છે, તેમ ક્રોધાદિભાવે પરિણમેલો ઉપયોગ સ્વયં ક્રોધાદિરૂપે થાય છે. એ રીતે આત્મદ્રવ્ય પણ સ્વયં પરિણામી છે.
ઉપજાતિ स्थितेति जीवस्य निरंतराया स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं यं स्वस्य तस्यैव भवेत्स कर्ता ॥६५॥
- એમ જીવની સ્વભાવભૂત નિરંતર પરિણમવારૂપ શક્તિ નિર્વિઘ સિદ્ધ થઈ. તે શક્તિને આધારે જીવ જે પોતાના ભાવ કરે છે, તેનો જ તે કર્તા થાય છે.
- (કલશ ૬૫) આત્મા પોતાના ભાવનો કર્તા બે પ્રકારે થાય છે :जं कुणदि भावमादा कत्ता सो होदि तस्स कम्मस्स ।
णाणिस्स स णाणमओ अण्णाणमओ अणाणिस्स ॥१२६॥ . જીવ કરે જે ભાવને, કર્તા તેનો જાણ; ભાવ જ્ઞાનીના જ્ઞાનમય, અજ્ઞતણા વિણ જ્ઞાન. ૧૨૬
એમ આ આત્મા સ્વયં પરિણમન સ્વભાવવાળો છતાં જે ભાવને પોતે કરે છે તે ભાવ અથવા પરિણામ તેનું કર્મ છે. તે ભાવકર્મનો આત્મા કર્તા બે પ્રકારે થાય છે. જ્ઞાનીને સમ્યફ .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org