SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. કર્તાકર્મ અધિકાર પરિણમે નહિ વર્ગણા, કર્મ સ્વભાવે આપ; તો સંસાર અભાવ કે, સાંખ્ય તણો જ પ્રલાપ. ૧૧૭ કહો કે પુદ્ગલદ્રવ્યને, જીવ કરે કર્મરૂપ; કેમ અપરિણામી સ્વયં, કરાય કર્મસ્વરૂપ ? ૧૧૮ પુદ્ગલ પોતે પરિણમે, જો માને એ સત્ય; જીવ કરે છે કર્મને, એ સિદ્ધાંત અસત્ય. ૧૧૯ એમ નિયમથી પરિણમે, કર્મપણે જડદ્રવ્ય; જ્ઞાનાવરણાદિ ખરે, કર્મ જાણ જડ સર્વે. ૧૨૦ જો પુદ્ગલદ્રવ્ય કર્મભાવે પરિણમીને સ્વયં જીવમાં બંધાવારૂપે પરિણમે નહિ તો તે અંપરિણામી કહેવાય. એ રીતે સર્વ પુદ્ગલને અપરિણામી માનીએ તો સંસારઅભાવનો પ્રસંગ આવે. જીવ પુદ્ગલને કર્મભાવે પરિણમાવે છે તેથી સંસારનો અભાવ થતો નથી એમ તર્ક કરો તો તેમાં વિરોધ આવે છે, કારણ કે સ્વયં અપરિણામી સ્વભાવવાળાને પરિણમાવી શકાય નહિ અને જો સ્વયં પરિણામી સ્વભાવવાળા પુદ્ગલને જીવ પરિણમાવે છે એમ કહો તો તે ઘટતું નથી, કારણ કે જે પોતે પરિણમવાની શક્તિવાળું છે તે પરદ્રવ્યની અપેક્ષા રાખતું નથી. તેથી જેમ માટી અનુક્રમે ઘડારૂપે પોતે પરિણમે છે, તેમ પુદ્ગલદ્રવ્ય જ્ઞાનાવરણાદિ કર્મરૂપે પોતે પરિણમે છે. તેથી પુદ્ગલદ્રવ્યનો પરિણામી સ્વભાવ છે એમ સિદ્ધ થાય છે. ८७ ઉપજાતિ स्थितेत्यविघ्ना खलु पुद्गलस्य स्वभावभूता परिणामशक्तिः । तस्यां स्थितायां स करोति भावं यमात्मनस्तस्य स एव कर्ता ॥ ६४ ॥ એમ પુદ્ગલની સ્વાભાવિક પરિણમનશક્તિ નિર્વિઘ્ર સિદ્ધ થઈ, તે શક્તિને આધારે પુદ્ગલ પોતાનાં જેવાં પરિણામ કરે છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005302
Book TitleSamaysara
Original Sutra AuthorN/A
AuthorKundakundacharya, Sakarben Shah
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1994
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy